દ.ગુજરાતમાં સાયકલોનિક સકર્યુલેશન છતાં આજથી વરસાદનું જોર ઘટી જશે

  • September 30, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રવિવારે જુનાગઢ ભાવનગર બોટાદ ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસયા પછી આજથી વરસાદનું જોર ઘટશે તેવું અનુમાન હવામાન ખાતા દ્રારા વ્યકત કરવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં દરિયાની સપાટીથી ૫.૮ કીલોમીટરની ઐંચાઈ પર સાયકલોનિક સકર્યુલેશન જોવા મળે છે. પરંતુ વરસાદને લગતી અન્ય કોઈ સપોટિગ સિસ્ટમ ન હોવાના કારણે રાયના કોઈ વિસ્તાર માટે ભારે વરસાદનું રેડ, યલ્લો, ઓરેન્જ કે તે પ્રકારના કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.
સાઇકલોનિક સકર્યુલેશનની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને રાયમાં અન્ય જગ્યાએ સામાન્ય ઝાપટા પડશે પરંતુ હવે ભારે વરસાદની શકયતા નથી.
છેલ્લા ૨૪ કલાકમાં રાયના ૧૩૪ તાલુકામાં સામાન્યથી જોરદાર વરસાદ થયો છે. ૨૨ તાલુકા એવા છે કે ત્યાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે છ વાગ્યાથી ફરી વરસાદ શ થયો છે પરંતુ તે માત્ર રાયના પાંચ તાલુકામાં જ છે અને તેમાં પણ કયાંય પૂરો એક ઈંચ પણ વરસાદ નથી.
સૌરાષ્ટ્ર્રની માફક ગઈકાલે વડોદરામાં પણ ભારે વરસાદ હતો. વડોદરા શહેરમાં ચાર અને જિલ્લાના પાદરા તાલુકામાં ત્રણ ઈંચ પાણી પડું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ડેડીયાપાડમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર્રમાં જુનાગઢ વિસાવદર મેંદરડા મહેસાણા વંથલી બોટાદ જિલ્લામાં ગઢડા બરવાળા ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા અને અમરેલી જિલ્લામાં ખાંભામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application