પોરબંદરના બે માળના ઓવરબ્રિજ ઉપર બે દિવસથી અંધારા છતા તંત્ર અંધારામાં!

  • March 25, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરને જ્યારથી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને સરકારી બાબુઓનું શાસન આવ્યું છે,ત્યારથી લોકોની સમસ્યાઓમાં દિવસે વધારો થઈ રહ્યો છે.શહેરના બે માળના ઓવરબ્રિજ ઉપર બે દિવસથી મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેના કારણે પોરબંદર બાયપાસ ઉપરથી પસાર થતા વાહનચાલકોથી માંડીને સામા કાંઠે સોસાયટીઓમાં રહેતા લોકોને અવરજવરમાં ખુબ જ મોટી મુશ્કેલી વેઠવી પડે છે,છતાં સરકારી અધિકારીઓ આ બાબતે દરકાર લેતા નથી.શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોના સમારકામ કરાવ્યાના દેખાડો કરતા હોય તેવા આંકડા જાહેર કરતું મહાનગરપાલિકાનું તંત્ર ઓવરબ્રિજ ઉપરની બંધ લાઈટોને તાત્કાલિક શરૂ કરાવે તે ઇચ્છનીય છે.કારણ કે અહીંયાથી ટ્રક સહિત ડમ્ફર જેવા ભારે વાહનો રાત્રિના સમયે સતત પસાર થતા હોય છે તેના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા મ.ન.પા.ના અધિકારીઓ જાગે તેવી માંગ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application