સરકારી નોકરીમાં ભ્રષ્ટ્રાચાર કર્યેા હોય અને ગેરરીતિઓ આચરી હોય તેવા આક્ષેપિત અધિકારી કે કર્મચારી સામે શિસ્તભંગના કડક પગલાં લેવા રાયના સામાન્ય વહીવટ વિભાગેને ફરજ પડી છે. રાય વિઝિલન્સ કમિશનમાંથી આવેલી સજાપાત્ર તમામ ભલામણોને હળવાશથી નહીં લેતાં તેના પર ત્વરીત પ્રક્રિયા કરીને જવાબદારોને નશ્યત કરવાની રહેશે.રાજય સરકારના સુપ્રીમ વિભાગે અન્ય વિભાગોના વડાઓ, જિલ્લા વહીવટી તંત્રના વડાઓ, પંચાયતી સંસ્થાઓ તેમજ બોર્ડ–નિગમના સંચાલકોને સંબોધીને લખ્યું છે કે વિઝિલન્સ કમિશનર તરફથી આવેલી બઘી ભલામણો પ્રમાણે કામ કરવાનું છે. એટલું જ નહીં ભ્રષ્ટ્રાચારના કોઇ કિસ્સામાં કમિશન તરફથી વિગતો માગવામાં આવે કે તપાસ ચલાવવાનો આદેશ કરવામાં આવે ત્યારે તેમાં સહકાર આપવાનો રહેશે.
ગુજરાત વિઝિલન્સ કમિશન દ્રારા મળતી ફરિયાદોના અનુસંધાને જિલ્લામાંથી અહેવાલ માગવામાં આવતા હોય છે, તેમજ જિલ્લા કક્ષાએથી પણ તેઓને સીધી મળતી ફરિયાદો સબંધે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ તબક્કે વિઝિલન્સના સંદર્ભવાળા કેસો અને તેના વગરના કેસો એમ બે પ્રકારના રજીસ્ટર્ડ નિભાવવાના રહેશે અને તેની ચકાસણી નોડલ અધિકારીએ જિલ્લા કક્ષાએથી દર મહિને કરવાની રહેશે.એડીએ ખાસ એવી સૂચના પણ આપી છે કે વિઝિલન્સ કમિશન દ્રારા ફરિયાદ અરજીઓ પર માંગવામાં આવતા હકીકતલક્ષી અહેવાલ નિયત પત્રકોમાં તેમજ ખાતાના વડા તેમજ જિલ્લા વિકાસ અધિકારીના સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સાથે સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે. ખાસ કરીને નિવૃત્ત થતાં અધિકારી કે કર્મચારીના કિસ્સામાં ઝડપ કરવી પડશે.
વિઝિલન્સના કેસોમાં ગેરરીતિમાં સંડોવાયેલા પ્રત્યેક આક્ષેપિત અધિકારી કે કર્મચારી સામે ગૃહ વિભાગની જોગવાઇને અનુસરી શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની રહેશે. એ ઉપરાંત ખાતાકીય તપાસના કેસોમાં તપાસના અંતે આક્ષેપિતને દોષમુકત કે ખાતાકીય તપાસ પડતી મૂકતાં પહેલાં ગૃહ વિભાગની સૂચના પ્રમાણે વિઝિલન્સ કમિશન સાથે બીજા તબક્કાનો પરામર્શ ફરજીયાત કરવો પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech