પોરબંદરમાં બોખીરામાં આવાસ યોજના સામે મહાનગરપાલિકાના તંત્રએ ૩૦ વીઘા જેટલી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મહાનગરપાલિકાની અંદાજે ૩૦ વીઘા (૪ હેકટર) જગ્યામાં કેટલાક વર્ષથી અનેક ઇસમોએ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામો ખડકી દીધા હતા તેથી આ બાંધકામ સરકારી જમીન ઉપર હોવાથી દૂર કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં અનેક નોટીસ આપવાની સાથોસાથ છેલ્લે ૨૦ દિવસ પહેલા અંદાજે ૨૫ દબાણકર્તાઓને વ્યક્તિગત રીતે નોટીસ આપીને જગ્યા સ્વેચ્છાએ ખાલી કરવા જણાવ્યુ હતુ આમ છતાં તેઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી ન હતી.
મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં સવારના સમયે પોલીસને જાણ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે જે.સી.બી.સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ અને પી.જી.વી.સી.એલ.ની ટીમ જોડાઇ હતી તથા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યુ હતુકે આસામીઓને વ્યક્તિગત રીતે નોટીસ આપવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા નથી તેથી કરોડો પિયાની સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડીમોલિશન પહેલા સ્થાનિકો દોડી ગયા મનપા કચેરી
May 30, 2025 06:38 PMઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચ ની સુવિધા
May 30, 2025 06:23 PMકોબડી 100 ટકા સ્માર્ટ મીટર ધરાવતું સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ ગામ બન્યું
May 30, 2025 06:13 PMસાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક ન્હાવા પડતાં ડૂબ્યાં, બેનાં કરુણ મોત, એકનો બચાવ
May 30, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech