આવાસ યોજના નજીક ૩૦ વીઘા જમીન પર ડીમોલીશનની કામગીરી શ‚

  • May 28, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બોખીરામાં આવાસ યોજના સામે મહાનગરપાલિકાના તંત્રએ ૩૦ વીઘા જેટલી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મહાનગરપાલિકાની અંદાજે ૩૦ વીઘા (૪ હેકટર) જગ્યામાં કેટલાક વર્ષથી અનેક ઇસમોએ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામો ખડકી દીધા હતા તેથી આ બાંધકામ સરકારી જમીન ઉપર હોવાથી દૂર કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં અનેક નોટીસ આપવાની સાથોસાથ છેલ્લે ૨૦ દિવસ પહેલા અંદાજે ૨૫ દબાણકર્તાઓને વ્યક્તિગત રીતે નોટીસ આપીને જગ્યા સ્વેચ્છાએ ખાલી કરવા જણાવ્યુ હતુ આમ છતાં તેઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી ન હતી.
મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં  સવારના સમયે પોલીસને જાણ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે જે.સી.બી.સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ અને પી.જી.વી.સી.એલ.ની ટીમ જોડાઇ હતી તથા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યુ હતુકે આસામીઓને વ્યક્તિગત રીતે નોટીસ આપવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા નથી તેથી  કરોડો ‚પિયાની સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application