રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના જામનગર રોડ ઉપરનો 50 વર્ષથી વધુ જુનો સાંઢીયો પુલ તોડી તેના સ્થાને નવો ફોર લેન ઓવરબ્રિજ નિમર્ણિ કરવામાં આવનાર છે, દરમિયાન હાલ સાંઢીયો પુલ તોડવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ગત સાંજથી બ્રિજનો રેલવે ટ્રેકની બરાબર ઉપરનો મધ્ય હિસ્સો ડાયમંડ કટરથી તોડવાનું શરૂ કરાયું હતું. દરમિયાન આજની સ્થિતિએ જુના પુલનો 70 ટકા હિસ્સો તોડી પડાયો છે અને હવે બાકી રહેતો 30 ટકા હિસ્સો 15 દિવસમાં દૂર થશે. જૂનો પુલ તોડવાની સાથે સાથે જ નવા ફોરલેન બ્રિજનું કામ પણ શ કરી દેવાયું છે તેમ સીટી એન્જીનિયર અતુલ રાવલએ જણાવ્યું હતું.
સાંઢીયા પુલના સ્થાને નિમર્ણિ થનારા ફોર લેન બ્રિજનો આકાર હવે સાંઢીયા જેવો નહીં રહે. બ્રિજની કુલ લંબાઇ 602.90 મીટર તથા કુલ પહોળાઇ 16.40 મીટર થશે. જેમા બન્ને તરફ 7.50 મીટર પહોળાઇના કેરેજ વે બનશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ 0.50 મીટર રહેશે. નવા બ્રિજ નિમર્ણિનો કુલ ખર્ચ રૂ.75 કરોડથી વધુ થશે.
સાંઢિયો પુલ તોડવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર કાળજાળ થયા હતા અને કામની ઝડપ વધારવા માટે ઇજનેરોને આદેશ કર્યો હતો, દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેનની સાઇટ વિઝીટ વેળાએ સ્થળ ઉપર ઉપસ્થિત રહેલા કોન્ટ્રાક્ટર એજન્સીના સ્ટાફને પણ સ્ટાફ વધારવા માટે તેમજ કામની ઝડપ વધારવા માટે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદ કરાઇ હતી ત્યારબાદ કામની ઝડપ વધી હતી.સાંઢીયા પુલના સ્થાને નિમર્ણિ થનારો નવો બ્રિજ થોડો બાઠીયો બનશે જેથી નવા ફોર લેન બ્રિજનો આકાર સાંઢીયા જેવો નહીં રહે તેમ મ્યુનિ.ઇજનેરોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech