સોમનાથમાં બીજા દિવસે ડિમોલિશન થયેલ કાટમાળ ખસેડવાની કામગીરી

  • September 30, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ મા મહા ડીમોલશન મા ૯ ધાર્મિક સહિત ૬૦ ગેરકાયદેસર ઉપર મહા ડીમોલશન બાદ બીજા દિવસે પણ પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત જોવા મળેલ છે અને બીજા દિવસે ડીમોલેશ ની જગ્યા એથી કાટમાળ ખસેડવાની કામગીરી થય રહેલ છે પોલીસ બંદોબસ્ત બાબતે પ્રભાસપાટણ પી આઈ એ જણાવ્યું કે અત્યારે પોલીસનો જે બંદોબસ્ત છે તે જાળવી રાખવામાં આવેલ છે પરંતુ જે પોલીસ ના જવાનો સતત બંદોબસ્ત કરી રહેલ છે તેની જગ્યાએ અન્ય પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે અત્યારે જે સોમનાથ બાયપાસ થી ભીડિયા સર્કલ સુધી નો રસ્તો વાહન વ્યવહાર માટે બધં છે રાત્રીના પરીસ્થીતી ને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવશે અત્યારે જે બંદોબસ્ત છે તે જાળવી રાખવામાં આવશે  જે જગ્યા એ ડિમોલેશ થયેલ છે તેની સામે અંદાજીત ૧૫૦ ની આજુબાજુ મા મચ્છી ની કંપની ઓ આવેલ છે જેમા પ્રભાસપાટણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા મજુરો આવી શકતા નથી પરંતુ જે મજુરોને કંપની મા રહે છે અને અન્ય રસ્તા થી આવતા હોય તેના દ્રારા કામગીરી શ છે ડીમોલેશ ના બીજા દિવસે પણ પોલીસ એસ આર પી અને ઉચ્ચ અધિકારીઓ દ્રારા સખ્ત બંદોબસ્ત છે જેમા ૧૪૦૦ ની આજુબાજુ પોલીસ અને એસ આર પી સહિત અધિકારીઓ ખડે પગે જોવા મળી રહેલ છે જીલ્લા મેજિસ્ટ્રેટ વેરાવળ અને પ્રભાસપાટણ શહેરી વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓને ને ભેગા થવા પર પ્રતિબધં છે જે ૩૦ તારીખ સુધી અમલમાં રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application