પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં વીજ પુરવઠો શ‚ કરી દેવાયાનો વિજતંત્રએ કર્યો દાવો

  • August 31, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લાના ૧૫૫ ગામોમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વધારાની ટીમો મુકીને વીજ પુરવઠો શ‚ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં બે દિવસ પહેલાના ભારે વરસાદ અને તેજ પવનને લીધે ૧૫૫ ગામોમાં વીજ પુરવઠાને પ્રતિકુળ અસર થઈ હતી.મોટાભાગના ગામોમાં વીજ સેવા ખોરવાઈ હતી. પી.જી.વી.સી.એલ. અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી પોરબંદર જિલ્લાના અસરગ્રસ્ત તમામ ગામોમાં વીજ સેવા કાર્યરત કરી દેવામાં આવી છે,તેમ પોરબંદર પી.જી.વી.સી.એલ. સર્કલના સુપ્રિટેન્ડટ ઇજનેરે જણાવ્યું હતુ.આ કામગીરી માટે બહારથી પણ ટીમો બોલાવવામાં આવી હતી તેમજ રાજકોટ કોર્પોરેટ ઓફિસના એડિશનલ ચીફ એન્જિનિયરએ પણ ‚બ‚ મુલાકાત લઈ અને આ કામગીરી પર દેખરેખ રાખી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application