જામ્યુકો દ્વારા બહાર પડાયેલી એસટી, એસસી અને ઓબીસીની ભરતી રદ કરવા માંગ

  • October 09, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા દ્વારા કરાર આધારીત હંગામી ધોરણે ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે, 30 જગ્યા ભરવા માટેની જાહેરાત બહાર પડાઇ છે ત્યારે કોર્પોરેશનનું આ પગલું આવકારદાયક છે અને કર્મચારીઓનું થતું શોષણ પણ અટકશે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે તેમાં એસટી, એસસી, ઓબીસી માટે રિઝર્વેશન દશર્વિવામાં આવેલ નથી, કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ છે જેમાં 45 દિવસ કે જેથી વધુ અસ્થાયી નિમણુંકમાં અનામત મળશે ત્યારે જામનગર કોર્પોરેશને બહાર પાડેલી ભરતી પ્રક્રિયા રદ કરી નવેસરથી અનામત લાગુ કરી નવેસરથી જગ્યા ભરવા માંગણી કરી છે અને આ અંગેનું એક આવેદનપત્ર કલેકટર ડી.એન.મોદી અને મેયરને આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે એડવોકેટ આનંદ ગોહીલ, કોર્પોરેટર આનંદ રાઠોડ, વકીલ ખોડીદાસ વાઘેલા, અનિલ મકવાણા, હરેશ પરમાર હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application