મહારાષ્ટ્ર્રમાં એક ધારાસભ્યએ ૨૨મી જાન્યુઆરીએ રજા જાહેર કરવાની કરેલી માગણી પછી ગુજરાતના ધારાસભ્યએ પણ તેમના જેવી માગણી કરી છે. આ બન્ને ધારાસભ્યોએ તેમના રાયના મુખ્યમંત્રીને પત્ર લખી રજા ઘોષિત કરવાનું કહ્યું છે.
વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ૨૨મી જાન્યુઆરીએ રજા જાહેર કરવા રાયના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનો પ્રાણ પ્રતિા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે લોકો તેનું જીવતં પ્રસારણ જોઇ શકે તે માટે ગુજરાત સરકારે રજા જાહેર કરવી જોઇએ.
તેમણે લખ્યું છે કે સદીઓના સંઘર્ષના અંતે ૨૨મી જાન્યુઆરીએ ભગવાન રામનું મંદિર ખુલ્લુ મૂકાઇ રહ્યું છે. હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રીરામ ને તેમના જન્મસ્થાને ફરીથી ગૌરવભેર સ્થાપવાના આ પવિત્ર દિવસે રાયના તમામ લોકો મંદિર પ્રતિાના કાર્યક્રમો જોઇ શકે તે માટે સરકારે રજા આપવી જોઇએ.
બીજીતરફ ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખાલકર એ મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખી ૨૨મી જાન્યુઆરીએ રજા જાહેર કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારી અના ખાનગી સંસ્થાઓ રજા નિશ્ચિત કરશે તો પ્રત્યેક ભારતીય નાગરિક આ મહોત્સવને જોઇ શકશે. તેમણે તો એ દિવસે સૂર્યાસ્ત પછી તમામ લોકોને દીપક પ્રગટાવવાની અપીલ પણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech