પ્રાંત અધિકારીને બાર એસો. દ્વારા આવેદનપત્ર
યાત્રાધામ દ્વારકામાં ઘણા સમયથી ચાલતા વિકાસ કાર્યોની હરણફાળના કારણે જમીન મકાન ખરીદ વેચાણના સોદાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહયો છે ત્યારે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાયમી અધિકારી ન હોય,જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હોવાની ફરીયાદ સાથે ગુરૂવારે બાર એસોસીએશનના હોદ્દેદારો -સભ્યોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનમાં જણાવ્યા મુજબ 2011થી દ્વારકામાં સબરજીસ્ટ્રાર કચેરી કાર્યરત છે અને તાલુકાના 42 ગામડાઓ અને શહેરમાં વિકાસકાર્યો અવિરતપણે ચાલી રહયા હોય ત્યારે જમીન લે-વેચ સારા પ્રમાણમાં થઈ રહી છે.
ત્યારે દસ્તાવેજ નોંધણીની કામગીરી ખૂબ રહેતી હોય સબરજીસ્ટ્રાર કચેરીએ અધિકારી ન હોવા ઉપરાંત કનેકટીવીટીની સમસ્યાને લીધે સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખૂબ જ ઘસારો રહે છે અને વકીલો તથા પક્ષકારોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
ઓખાના સીટી સર્વે ઓફીસના અધિકારીઓને ફીલ્ડમાં મોકલી દેવામાં આવતા સબરજીસ્ટ્રાર કચેરીની રેવન્યુ એન્ટ્રીઓ ખોરંભે ચડી ગયેલ હોય,મિલ્કત ખરીદ વેચાણ કરનારાઓને ખૂબ જ હાલાકી થાય છે. ગત તા.13.02.24 ના રોજ ઠરાવ કરી દ્વારકા ખાતે કાયમી સબરજીસ્ટ્રારની નિમણૂંક અંગે માંગ કરવામાં આવેલ છતાં આજ સુધી સમસ્યાનું સમાધાન મળ્યું ન હોય, આવેદનપત્ર પાઠવી ઓખા-દ્વારકામાં કાયમી સીટી સર્વે અધિકારી તેમજ દ્વારકા સબરજીસ્ટ્રારની નિમણૂંક કરવા માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech