લાંબા અંતરની ટ્રેનોનો ભાણવડને સ્ટોપ ફાળવવા માંગ

  • October 16, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર ભાજપ ઉપપ્રમુખ દ્વારા કરાઇ રજૂઆત


ભાણવડ વિસ્તારને કોચુવેલી અને સીકંદરાબાદ દોડતી લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપ ના હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળે છે, આ બાબતે શહેર ભાજપ ઉપપ્રમુખ નિરવ રાજાણીએ ભાવનગર ડીવીઝન સહિત સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી છે.


ભાણવડ વિસ્તારની મુસાફર જનતા સાથે રેલ તંત્ર અન્યાય કરી રહ્યાનું લોકો માની રહ્યા છે, ખાસ કરી લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ બાબતે ઘ્યાન અપાતું જ નથી, ભાણવડના રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી પોરબંદર-કોચુવેલી વીકલી ટ્રેન જયારથી શ થઇ છે ત્યારથી ભાણવડને સ્ટોપ મળ્યો નથી. ઉપરાંત સીકંદરાબાદ વિકલી ટ્રેનનો પણ ભાણવડ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ નથી, આ ટ્રેન કોરોના પહેલા ભાણવડને સ્ટોપ અપાયો હતો પરંતુ કોરોના બાદ ટ્રેનો શ થઇ છે, પરંતુ ભાણવડ સ્ટોપની રેલ્વે ડીવીઝને બાદબાકી કરી અન્યાય કર્યો છે.


લાંબા અંતરની ટ્રેનને ભાણવડ સ્ટોપ મળે એ બાબતે અનેક રજૂઆત કરાઇ છે, પરંતુ રેલ તંત્ર દાદ આપતું નથી, અત્રે નોંધનીય બાબત એ છે કે ભાણવડ રેલ્વે સ્ટેશન ખાતે લાંબા અંતરની ટ્રેન સ્ટોપ સુવિધા અપાઇ તો તેનો ભાણવડ સહિત જામજોધપુરની મુસાફર જનતા પણ લાભ લઇ શકે છે, ત્યારે રેલ તંત્ર આ દિશામાં હકારાત્મક વલણ અપનાવે તેવી અંતમાં માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application