જામકંડોરણા તાલુકાન રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા લોકસભાના રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સો રાજપૂત સમાજી મામલતદાર કચેરી સુધી શિસ્તબધ્ધ અને શાંતિપૂર્ણ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ છે કે પરસોત્તમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરેલ છે. જેના લીધે ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે. જેથી જામકંડોરણા તાલુકાના તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા ઉપરોકત બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને પરસોત્તમભાઇ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી સમસ્ત જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજની માગ છે. રાજપૂત સમાજ ખાતેથી નિકળેલી વિશાળ રેલીમાં તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના હોદ્દેદારો, યુવાનો, વડિલો જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech