દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ કરી ધરપકડ

  • March 21, 2024 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ ઈડીની ટીમ મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સી દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની સર્ચ કર્યું હતું. જે બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલની લીગલ ટીમ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ ગુરુવારે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. તપાસ એજન્સી એવા સમયે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે ગઈ છે જ્યારે આજે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.


લગભગ 2 કલાકની પૂછપરછ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યા બાદ તપાસ એજન્સી ગુરુવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી.



સીએમ કેજરીવાલના ઘરની બહાર કલમ ​​144 લાગુ કરાઈ
મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલના ઘરની બહાર કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application