કોરોના કાળ અને ત્યારબાદ રશિયા યુક્રેન, ઇઝરાયલ ઈરાનના યુદ્ધ થી હીરા ઉધોગનો નો ચળકાટ ગાયબ થયો છે. જૂનાગઢનો હીરા ઉધોગ મંદીનો સામનો કરી રહ્યું છે. યુદ્ધના કારણે રફ ડાયમડં ના ઐંચા ભાવ અને પોલીસ ડાયમંડની ઓછી કિંમતથી પ્રોડકશન ઘટવાથી કારખાનાઓ બધં થયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લ ામાં હીરા ઉધોગના ઇતિહાસમાં પહેલીવાર સાતમ આઠમમાં ૧૦ થી ૧૫ દિવસનું વેકેશન જાહેર કરાયું છે.જેથી આગામી પાંચમથી જિલ્લ ાના ૭૦૦ થી વધુ કારખાનાઓમાં મીની વેકેશન રહેશે.માર્કેટમાં ફેરફાર નહીં થાય તો અમુક કારખાનેદારો સંભવત વેકેશન લંબાવે તેવી ભીતિ સેવાઈ રહી છે.
યુદ્ધના કારણે પહેલેથી જ હીરા ઉધોગમાં હીરાની ચમક ઝાંખી થઈ છે.૨૫ ટકા કારખાનાઓ બધં થયા છે જેથી અનેક કારીગરો રોજગાર વિહોણા થયા છે ત્યારે જૂનાગઢમાં હીરાના કારખાનાના હબ ગણાતા આંબાવાડીમાં અગાઉ સાતમ આઠમ પર્વ પર ત્રણથી ચાર દિવસનું જ વેકેશન રહેતું ત્યારે આ વર્ષે મંદીના કારણે હીરાના કારખાનાઓમાં પ્રથમ વખત ૧૦થી ૧૫ દિવસનું મોટું વેકેશન જાહેર કરાયું છે. કોરોના અને તે પછી રશીયા યુક્રેન અને ઇઝરાયલ ઈરાનના યુદ્ધથી રફ ડાયમંડના ઐંચા ભાવ અને પોલીસ ડાયમંડની ઓછી કિંમતના લીધે હીરા ઉધોગનું પ્રોડકશન અડધો અડધ ઘટી ગયું છે. જૂનાગઢ આંબાવાડી વિસ્તારમાં હીરાના સૌથી વધુ અંદાજિત ૨૫૦થી વધુ યુનિટ અને જિલ્લ ામાં ૭૦૦ કારખાનાઓ છે.
તેમાંથી ૨૫ ટકા યુનિટ બધં હાલતમાં છે. જેથી અનેક રત્ન કલાકારો રોજગાર વિહોણા થયા છે. કાચા માલની કિંમતમાં વધારા સાથે વેચાણ ઓછું થવાથી બાકી રહેલા હીરાના કારખાનાઓ પણ ડચકા ખાઈ રહ્યા છે. અગાઉ દિવાળીના ત્રણથી ચાર માસ પૂર્વે જ હીરા બજારમાં આઉટલેટ અને આગોતરા પ્રોડકશનનું કાર્ય શ થઈ જતું હતું. પરંતુ આ વર્ષે માર્કેટમાં સુધારો થયો નથી. જેથી રત્ન કલાકારો અને કર્મચારીઓની પણ માઠી બેઠી છે. હાલની પરિસ્થિતિમાં હીરાના વેપારમાં પડતર વધારે અને વેચાણ ઓછું થઈ રહ્યું છે. ઉપરાંત દિવાળી પૂર્વે ની આગોતરી સીઝનનો પ્રારભં થયો નથી. આગામી દિવસોમાં માર્કેટમાં સુધારો નહીં આવે તો અમુક કારખાનેદારો દ્રારા સંભવત સાતમ આઠમ બાદ પણ વેકેશન લંબાવાય તેવી ભીતિ સેવાઈ રહી છે
પ્રોડકશન વધે તો જ હીરા ઉધોગને મળશે બુસ્ટરડોઝ–વિજયભાઈ રાણપરિયા
જૂનાગઢ આંબાવાડી ડાયમડં એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાણપરીયાના જણાવ્યા મુજબ હીરાના ધંધાને એક પણ સરકારી સહાય મળતી નથી હાલ જે પરિસ્થિતિ છે.તેમાં પણ દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે.આંબાવાડીમાં હીરાના ૨૫ ટકા યુનિટ બધં છે.બજેટ બાદ સોનું સસ્તું થયું છે.પરંતુ હીરાનું પેકેજીગં તમામ લોકોને પરવડતું નથી આ વર્ષે અત્યાર સુધી તો પ્રોડકશનમાં વધારો થયો નથી ત્યારે આગામી દિવાળી પૂર્વે હીરા બજારમાં તેજી આવે તો રત્ન કલાકારોને રોજગારી મળી રહેશે અને ડચકા ખાઈ રહેલા હીરાના કારખાનાઓને બુસ્ટર ડોઝ મળી રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech