આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમયપત્રક અને સ્થળ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. બીસીસીઆઈએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) હાઇબ્રિડ મોડલ પર વિચાર કરી રહી છે પરંતુ બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ભારત અને આઈસીસીને મોટો ઝટકો આપ્યો છે. પીસીબીએ હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું છે. તેનો અર્થ એ છે કે પીસીબીએ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે કે ભારત તેની મેચ પાકિસ્તાનની બહાર રમે.
જો પાકિસ્તાન પોતાના સ્ટેન્ડ પર અડગ રહેશે તો આઈસીસી પાસે ટૂનર્મિેન્ટ શિફ્ટ કરવાનો વિકલ્પ પણ હશે. આ તમામ બાબતોના ઉકેલ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી રહી છે.
આ બેઠકમાં મેચના કાર્યક્રમ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. ત્યાર બાદ તેની જાહેરાત થઈ શકે છે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે કે નહીં અથવા તેને બીજા દેશમાં શિફ્ટ કરી શકાય છે.
આ બેઠકમાં બોર્ડના તમામ સભ્યો હાજર રહેશે. આ સમયે પાકિસ્તાનમાં પણ સ્થિતિ સારી નથી અને ચીફ મોહસિન નકવી પણ આ તરફ ધ્યાન આપી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સતત તૈયારી કરી રહ્યું છે અને સ્ટેડિયમનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
યારે ભારત સરકારે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું છે કે તેઓ હાઈબ્રિડ મોડલ હેઠળ ટૂર્નામેન્ટ રમશે પરંતુ અહીં એક સમસ્યા જણાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્રારા આ સમસ્યા સર્જાઈ છે.
પીસીબીએ મીટિંગના એક દિવસ પહેલા આઈસીસીને સ્પષ્ટ્રપણે કહ્યું છે કે બોર્ડ મીટિંગમાં હાઈબ્રિડ મોડલના વિકલ્પ પર બિલકુલ ચર્ચા ન થવી જોઈએ. પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં રમવા માંગતું નથી.
એક સૂત્રએ કહ્યું કે હત્પં પુષ્ટ્રિ કરી શકું છું કે પીસીબીએ થોડા કલાકો પહેલા આઈસીસીને કહ્યું છે કે ટૂર્નામેન્ટનું હાઇબ્રિડ મોડલ સ્વીકાર્ય નથી. પાકિસ્તાન બોર્ડનું માનવું છે કે હાઇબ્રિડ મોડલમાં રમવાનો અર્થ એ થશે કે ભારતને પ્રાધાન્ય આપવું. સૂત્રોનું માનીએ તો ૨૦૩૧નો ઓડીઆઈ વલ્ર્ડ કપ પણ જોખમમાં આવી શકે છે. આ વલ્ર્ડ કપની યજમાની ભારત–બાંગ્લાદેશ સંયુકત રીતે કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech