Sikkim Flood: સિક્કિમ જળપ્રલયમાં મૃત્યુઆંક વધીને 34 થયો, 105 લોકો હજુ પણ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

  • October 09, 2023 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ અચાનક પૂરના કારણે રાજ્યભરમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા હજુ પણ લાપતા છે. ગયા અઠવાડિયે ઉત્તર સિક્કિમમાં આવેલા અચાનક પૂરમાં મૃત્યુઆંક સોમવાર સુધીમાં વધીને 34 પર પહોંચી ગયો છે, જ્યારે 105 લોકો હજુ પણ લાપતા હોવાનું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.


સિક્કિમના લ્હોનક ગ્લેશિયરમાં 3 ઓક્ટોબરે વાદળ ફાટ્યું હતુ. અચાનક વાદળ ફાટવાને કારણે સરોવરનો એક કાંઠો (કિનારો) તૂટી ગયો હતો. જેના કારણે તિસ્તામાં પાણીનું સ્તર વધી ગયું અને રાજ્યના ઘણા વિસ્તારો ડૂબી ગયાની ઘટના સામે આવી હતી. થોડી જ વારમાં આ કુદરતી સંકટ આફતનું રૂપ ધારણ કરી લીધું હતું. સિક્કિમમાં આ પૂરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) ના અહેવાલ પ્રમાણે 9 ઓક્ટોબરના રોજ સવારે 10:00 વાગ્યે સુધીની જો વાત કરીએ તો મૃત્યુઆંક 34 નોંધાયો છે. તેમજ 105 લોકો ગુમ થયા હોવાની માહિતી પણ આપી હતી.


8 ઓક્ટોબરે કુલ 33 લોકોના મોત અને 105 લોકો ગુમ થયાના અહેવાલ છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આજે આર્મી હેલિકોપ્ટર દ્વારા લાચેનથી બહાર કાઢવામાં આવેલા પ્રવાસીઓના પ્રથમ બેચનું મંગન જિલ્લાના રિંગિમ હેલિપેડ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application