દીવમાં અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી પર જીવલેણ હુમલો, સારવાર માટે રાજકોટ ખસેડાયો

  • February 04, 2023 06:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

દીવમાં અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ધર્મેન્દ્ર ગોસ્વામી પર આજે દીવમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર શખ્સો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ધર્મેન્દ્ર ગોસ્વામીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે શુક્રવારે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ધમેન્દ્ર ગોસ્વામી પર જીવલેણ હુમલો થયાના સમાચાર સામે આવ્યા હતા. આ હુમલો દીવના નાલિયા માંડવી ખાતે અજાણ્યા શખ્સોએ કર્યો હતો. જેમાં ધર્મેન્દ્ર ગોસ્વામીને માથાના ભાગે ઈજા પહોચી હતી. ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર હુમલાખોર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. હાલ તો ઈજાગ્રસ્ત ધર્મેન્દ્ર ગોસ્વામીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગંભીર ઈજાઓના પગલે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ધર્મેન્દ્ર ગોસ્વામી પરના હુમલા મામલે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application