ભાવનગર શહેરમાં કોરોના ધીમી ગતિએ આગળ વધી રહયો છે.શહેરમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. કુલ ૭ સંક્રમિત દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે તે તમામની સ્થિતિ સામાન્ય છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં ગુરૂવારે સાંજે કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં નિલમબાગ વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષના યુવાન, ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના આધેડ અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દીની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેયનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તમામની તબિયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રહોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. આ સાથે જ શહેર અને જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કુલ ૮ કેસ નોંધાયા છે.જેમાં શહેરમાં ૭, અને જિલ્લાના એક કેસનો સમાવેશ થાય છે. શહેરમાં નોંધાયેલાં કોરોનાના તમામ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે. કોરોના વાયરસના કેસ વધતા લોકો ચિંતાગ્રસ્ત બન્યા છે. કોરોનાના કેસ વધતા લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech