જીવલેણ કોરોનાએ વધુ ત્રણ ભાવનગરમાં લોકોને કર્યા સંક્રમિત

  • May 30, 2025 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમાં કોરોના ધીમી ગતિએ આગળ વધી રહયો છે.શહેરમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. કુલ ૭ સંક્રમિત દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે તે તમામની સ્થિતિ સામાન્ય છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં ગુરૂવારે સાંજે કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં નિલમબાગ વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષના યુવાન, ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના આધેડ અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દીની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેયનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તમામની તબિયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રહોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. આ સાથે જ શહેર અને જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કુલ ૮ કેસ નોંધાયા છે.જેમાં શહેરમાં ૭, અને જિલ્લાના એક કેસનો સમાવેશ થાય છે. શહેરમાં નોંધાયેલાં કોરોનાના તમામ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે. કોરોના વાયરસના કેસ વધતા લોકો ચિંતાગ્રસ્ત બન્યા  છે. કોરોનાના કેસ વધતા લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા  જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News