જૂનાગઢ વણઝારી ચોકમાં રસ્તામાં ભાંગફોડ દરમિયાન ગટરને નુકસાન

  • September 18, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા વણઝારી ચોક થી નવા નાગરવાડા તરફના રસ્તાને પાણીની લાઈન નાખવા તોડવામાં આવી રહ્યા છે.આડેધડ સુપર વિઝન વગરની કામગીરીથી અનેક અન્ય લાઈનો પણ તૂટી રહી છે. પ્રથમ પાણીની લાઈન તૂટી ગઈ હતી જેને રીપેરીંગ કરવામાં આવી ત્યાં તેજ વિસ્તારમાં ગટરની ચેમ્બર તૂટી જતા ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે અને  રીપેરીંગ નહીં થાય તો ગટરનું એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ વિસ્તારમાં ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે.એક તરફ પાણીની લાઈન નાખવા રસ્તા તોડાતા માટીના થર આડેધઙ નાખવામાં આવ્યા છે તો બીજી તરફ ગટરની ચેમ્બર તૂટી જતા પાણી રસ્તા પર ગંદકીના કારણે આસપાસના રહેવાસીઓ અને વેપારીઓના આરોગ્યને અસર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
વણઝારી ચોકમાં આવેલ દીપમંદિર એપાર્ટમેન્ટની ગટરની ચેમ્બર તૂટી ગઈ છે
જેથી આગામી દિવસોમાં રિપેર નહીં કરવામાં આવે તો પાણી બેઝમેન્ટ પાકિગમાં આવી જાય તેવી શકયતા હોવાથી રહેવાસીઓ દ્રારા તાત્કાલિક ગટરની કામગીરી કરવા કમિશનરને અરજી આપવામાં આવી છે.
હાલ  સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે. જેથી ગટરની કામગીરી તાકીદે પૂર્ણ કરવા રહેવાસીઓએ માંગ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application