જેતપુર પંથકમાં સતત વરસાદી માહોલ બાદ તડકો નહીં નીકળતા ખેતીને નુકસાન

  • August 21, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લ ા એક મહિનાથી સતત ઝાપટાપી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે છેલ્લા મહિનાથી ખેડૂતોએ વાવેલ મોલને તડકો મળ્યો નથી. અને સતત ઝાપટાપી વરસાદથી ખેતરોમાં રેસ ફટી નીકળ્યા, એટલે કે જમીનમાં સતત ભેજવાળી જ રહી જેના કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા મોટા ભાગના પાકો પીળા પડી ગયા છે. અને આવી જમીનોમાં ઉપજ થવાની શકયતા હવે નહિવત છે.
યારે જેને નિતારવાળી કે ફળદ્રત્પપ જમીન હશે તેને થોડી ઘણી ઉપજ થશે એટલે તેને પણ આઠ આની જેવી ઉપજ થશે. અને જાપટાપી વરસાદને કારણે બોર, કૂવામાં પાણી ઉપર ચડા નથી અને ભાદર ડેમ હજુ અડધાથી પણ ઓછો ભરાયો છે એટલે ઉપર એટલે શિયાળું પાકનું તો વિચારવાનું જ નથી. છેલ્લ ા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો છે જેને કારણે ખેડૂતો રક્ષાબંધન જેવા તહેવાર ઉપર પણ પાકને બચાવવા મોલની બાજુમાં ઊગી નીકળેલ ખળને નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે. તેના કારણે થોડો ઘણો પાક બચાવી શકાય માટે મહેનત કરી રહ્યા છે. જો પાછોતરો સારો વરસાદ થાય અને બોર, કૂવામાં પાણી ચડે, ડેમ ભરાય તો શિયાળું પાકનું વાવેતર કરી શકાય એમ છે. બાકી આ વખતે મજૂરીના પૈસા પણ માંડ માંડ નીકળશે તેવી પાકની સ્થિતિ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application