ગોંડલના રાજનગર સોસાયટીમાં સુબાવડ વૃક્ષનું જેસીબીથી છેદન: તંત્રનું મૌન

  • August 09, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમા વૃક્ષછેદન અધિનિયમના ઉલ્લ ંઘનનો બનાવ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર્રમાં વૃક્ષની એક ડાળી કાપવા માટે પણ મંજૂરી લેવી પડે છે ત્યારે જેતપુર રોડ પર આવેલ સોસાયટીના સાર્વજનિક પ્લોટ માં રહેલ ઘટાદાર ''સુબાવડ નું એક વ્યકિતએ છેદન કરતા ફરિયાદ કરવામાં આવી છે.પરંતુ તત્રં દ્રારા હજુસુધી કોઇ પગલા લેવાયા નથી.
ગોંડલ નાં જેતપુર રોડ ઉપર  આવેલી રાજનગર સોસાયટી શેરી નં.૩ અને ૫ની વચ્ચે સાર્વજનીક  પ્લોટમાં આશરે ૩૦ વર્ષથી વધુ સમયથી ઘટાદાર છાયાવાળુ ઝાડ ''સુબાવડ'' જે બારેમાસ લીલુછમ રહેતુ ઝાડ છે જે સોસાયટીના લોકોને તેમજ સોસાયટીમાંથી પસાર થતા લોકોને છાયો આપતુ વૃક્ષ હતું જેને કાપી નાખતા ગોંડલ શહેરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને સૈારાષ્ટ્ર્રનો વૃક્ષો કાપી નાખવા માટે શિક્ષા કરવા બાબતનો અધિનીયમ ૧૯૫૧ મુજબ એકશન લેવા શેરી નંબર ૩ અને ૫ ના બે રહીશોએ અરજી કરી છે.
રાજનગર શેરી નં.૫મા રહેતા કલ્પેશકુમાર અમૃતલાલ ચનીયારા તથા જયેશભાઈ છગનભાઈ રૈયાણી દ્રારા  સુબાવડ જેવા વૃક્ષને છેદન ક૨વા સામે ફરીયાદ કરી છે. અરજીમાં ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે કે, જેન્તીભાઈ દ્રારા જાણી જોઈને જેસીબી મશીન લાવી સાર્વજનીક પ્લોટમાં ૩ ઓગસ્ટના રોજ કાપી નાખ્યું છે. સોસાયટીવાળાઓની કોઈ પણ જાતની સહમતી કે મંજુરી લીધા વગર આ વૃક્ષનુ છેદન કરી નાખ્યું છેનોંધીનીય છે કે, વૃક્ષ છેદન કરવા માટે શહેરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટન પુર્વ પરવાનગીની આવશ્યતા હોય છે જેની જાણ હોવા છતા કાયદાનો ઉલ્લ ંઘન કર્યેા છે. ઉપરાંત સ્થાનિકોએ વૃક્ષનુ છેદન ન કરવા મૌખિક રજૂઆત કરતા તેમની સાથે જેન્તીભાઈ અને જેસીબી ચાલકે એલફેલ શબ્દો બોલી ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ હોવાનુ કલ્પેશકુમાર  ચનિયારા દ્રારા જણાવી અરજી બાદ સ્થાનિકો સાથે કોઇ દુવ્ર્યવહાર થાય તેવી ભીતિ તેમણે વ્યકત કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application