મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ગ્રાહકોને આગામી દિવસોમાં તેમના ખિસ્સામાંથી વધુ ખર્ચ કરવાની જર પડી શકે છે. ખાસ કરીને એવા લોકો કે જેમની પાસે એકથી વધુ મોબાઈલ નંબર છે તેમને વધુ નુકસાન થઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરે આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યેા છે.
રેગ્યુલેટરે નંબરોનો દુપયોગ ઘટાડવા માટે આ પ્રસ્તાવ તૈયાર કર્યેા છે. ટ્રાઈનું માનવું છે કે મોબાઈલ કંપનીઓ એવા મોબાઈલ નંબરને બ્લોક કરતી નથી કે જેનો ઉપયોગ ઓછો થતો હોય અથવા લાંબા સમય સુધી ઉપયોગ ન થતો હોય, જેથી તેમના યુઝર બેઝ પર નકારાત્મક અસર ન થાય.
આજકાલ, ડુઅલ સિમ કાર્ડવાળા ફોન પ્રચલિત છે. સામાન્ય રીતે, લગભગ દરેક વપરાશકર્તા પાસે એક કરતા વધુ મોબાઈલ નંબર હોય છે. મોટાભાગના લોકો બે મોબાઈલ નંબર રાખે છે. તેમાંથી એકનો ઘણો ઉપયોગ થાય છે, પરંતુ બીજો નંબર નિષ્ક્રિય રહે છે. મોબાઈલ કંપનીઓ પણ આવા ઓછા ઉપયોગમાં લેવાતા નંબરને જાણી જોઈને બ્લોક કરતી નથી. જો તેઓ આ નંબરો બધં કરશે તો તેમનો યુઝર બેઝ ઘટી જશે. ટ્રાઈ આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માંગે છે.
પોતાના પ્રસ્તાવની તરફેણમાં ટ્રાઈનું કહેવું છે કે દુનિયાના ઘણા દેશોમાં આવી સિસ્ટમ પહેલાથી જ છે, યાં ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ નંબર અથવા લેન્ડલાઈન નંબરના બદલામાં સરકારને ફી ચૂકવવી પડે છે. ટ્રાઈ અનુસાર, તે દેશોમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બેલ્જિયમ, ફિનલેન્ડ, બ્રિટન, લિથુઆનિયા, ગ્રીસ, હોંગકોંગ, બલ્ગેરિયા, કુવૈત, નેધરલેન્ડ, સ્વિટઝર્લેન્ડ, પોલેન્ડ, નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્કનો સમાવેશ થાય છે.
ફી અંગે ટ્રાઈનું કહેવું છે કે સરકાર કાં તો એક સમયે ફિકસ ચાર્જ લાદી શકે છે અથવા વાર્ષિક ધોરણે રિકરિંગ પેમેન્ટ લઈ શકે છે. ટ્રાઈની ભલામણ મુજબ સરકારે ટેલિકોમ કંપનીઓ પાસેથી ચાર્જ વસૂલવો પડશે. જો કે, જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવશે તો ટેલિકોમ કંપનીઓ ચોક્કસપણે ગ્રાહકો પર બોજ નાખશે. ખાસ કરીને સેકન્ડરી અથવા વૈકલ્પિક મોબાઈલ નંબર માટે ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી શકે છે.
મોબાઈલ નંબર એ સરકારની મિલકત
ભારતના ટેલિકોમ રેગ્યુલેટર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)નું કહેવું છે કે મોબાઈલ નંબર વાસ્તવમાં સરકારની મિલકત છે. તેઓ ટેલિકોમ કંપનીઓને મર્યાદિત સમય માટે ઉપયોગ માટે આપવામાં આવે છે, જે કંપનીઓ ગ્રાહકોને ફાળવે છે. આવી સ્થિતિમાં સરકાર મોબાઈલ નંબર આપવાના બદલામાં કંપનીઓ પાસેથી ચાર્જ વસૂલી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech