પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવાયેલી આવાસ યોજનાના એક કવાર્ટરમાં બીજી વખત છતમાંથી ધડાકાભેર પોપડા ખર્યા હતા. સદનસીબે કોઇને ઇજા થઇ નથી પરંતુ કોઇનો ભોગ લેવાય ત્યાં સુધી નગરપાલિકાનું તંત્ર રાહ જોઇ રહ્યુ છે કે શું? તેવો સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે.
જાણવા મળતી વિગત પ્રમાણે બોખીરાની આવાસ યોજનાના બ્લોક નં ૪૮ના ફલેટનંબર -૧૮માં અગાઉ જે રીતે છતમાંથી સીમેન્ટના પોપડા ધડાકાભેર પડયા હતા એ જ રીતે બીજી વખત છતમાંથી પોપડા પડયા હતા. અહીં રહેતા અરવિંદભાઇ ચીનાભાઇ કાણકીયાને અગાઉ પોપડા ખર્યા ત્યારે ઇજા થઇ હતી. આ વખતે સદ્નસીબે તેઓ અન્ય મમાં હોવાથી તેમનો બચાવ થયો હતો. પોરબંદર નગરપાલિકાનું તંત્ર કોઇ નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેની રાહ જોઇ રહ્યુ છે કે શું? તેવો સવાલ ઉઠવા પામ્યો છે કારણકે આ ફલેટમાં આ રીતે જુદા જુદા બ્લોકમાં પોપડા ખરે છે અને લોકોને નાની મોટી ઇજા પણ થાય છે તેમ છતાં તેનું સમારકામ કરાવવા માટે તંત્ર જાગતુ નથી તે શરમજનક છે તેમ અહી રહેતા લોકો જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech