લુના ટીવીએસ લઇને જતા કાળ ભેટયો: એકનું ઘટના સ્થળે અને એકનું સારવારમાં મોત
જામનગર નજીક ગોરધનપર ગામ પાસે પેટ્રોલપંપ નજીક ગઇકાલે સવારના પુરઝડપે આવી રહેલા સ્કોર્પીયોના ચાલકે બેદરકારીથી ચલાવીને લુના ટીવીએસને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં દેવીપુજક દંપતિનું મૃત્યુ થયુ છે આ અંગે સ્કોર્પીયોના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે, બનાવની જાણ થતા સિકકા પોલીસની ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.
દ્વારકાના ખંભાળીયાના શકિતનગરમાં આવેલ ખોડીયારપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ રવજીભાઇ વાઘેલા નામના દેવીપુજક યુવાને ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં સ્કોર્પીયો ગાડી નં. જીજે3એમઆર-0075ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના બહેન કારીબેન પરમાર (ઉ.વ.40) અને બનેવી રત્નાભાઇ રામાભાઇ પરમાર (ઉ.વ.48) આ બંને લ્યુના ટીવીએસ નં. જીજે19બીએન-2584 લઇને ગઇકાલે સવારે 7 વાગ્યાના સુમારે ખંભાળીયાથી જામનગર તરફ આવતા હતા ત્યારે ગોરધનપર ગામ પાસે પેટ્રોલપંપ નજીક પહોચતા પાછળથી સ્કોર્પીયો ગાડીના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને લુના ને ઠોકર મારી હતી.
ફરીયાદીના બેન-બનેવીને હડફેટે લેતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજા અને શરીરના ભાગે ઇજાઓ પહોચાડી હતી, આ અકસ્માતમાં કારીબેનનું બનાવના સ્થળે મૃત્યુ નિપજયુ હતું, જયારે રત્નાભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. ફરીયાદીના આધારે સિકકા પોલીસની ટુકડી સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી. અને આરોપી સ્કોર્પીયો ચાલકની શોધખોળ આદરી છે. બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech