આયુષ્યમાન કાર્ડને ત્રણ વર્ષ થયા હોય તો રિન્યુ કરાવી લેવા કોર્પોરેશનની અપીલ

  • June 08, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નજીકના સરકારી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્ડ રિન્યુ થઇ શકશે

આથી જાહેર જનતા જોગ સંદેશ કરવામાં આવે છે કે જામનગર મહાનગરપાલિકા શહેરી વિસ્તારના નાગરીકોને જણાવવામાં આવે છે કે જે લોકો પાસે હાલમાં માં-વાત્સલ્ય કાર્ડ કે આયુષ્માન કાર્ડ છે પરંતુ જે કાર્ડ કઢાવ્યાને ત્રણ વર્ષ પુરા થયેલ હોય અને તે કાર્ડ રીન્યુ કરાવેલ ન હોય તેઓના કાર્ડ બંધ થઈ ગયેલ હશે. તો આવા કોઈપણ વ્યક્તિને/કોઈપણ કુટુંબમાં અચાનક કોઈ બીમારી આવે અને જો આયુષ્માન કાર્ડ બંધ હોય તેવી પરીસ્થિતીમાં કાર્ડ અંતર્ગત લાભ લેવામાં મુશ્કેલી પડી શકે. આપના કુટુંબમાં કોઈપણ વ્યક્તિ બીમારીની  હાલતમાં કાર્ડ બંધ હોવાના લીધે હેરાન ન થાય અને આપને હોસ્પીટલમાં મોટું ખર્ચ ભોગવવું ન પડે તે હેતુ થી તમામ વ્યક્તિઓને નમ્ર વિનંતી કે તાત્કાલિક નવા આવકનો દાખલો કઢાવી પોતાના નજીકના સરકારી દવાખાના/અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આયુષ્માન કાર્ડ રીન્યુ કરાવી લેવા આરોગ્ય શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પોહચાડવા વિનંતી, જેથી કોઈપણ વ્યક્તિને અણધારી બીમારીથી થતા આર્થિક નુકશાનથી બચાવી શકાય. આપના આજુબાજુના તમામ લોકોને આ માહિતી આપી આપ પણ આંગળી ચિંધ્યાનું પૂણ્ય મેળવી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application