શંકરટેકરીમાં ઉધાર માલ લેવા બાબતે વેપારી સાથે તકરાર

  • August 31, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર હુમલો કરી દુકાનમાં તોડફોડ: ચાર શખ્સ સામે રાવ

જામનગરમાં શંકર ટેકરી વલ્લભનગર વિસ્તારમાં એક વેપારીની દુકાનમાં ઉધાર માલ  લેવા માટે આવેલા ચાર શખ્સોએ હંગામો કર્યા પછી દુકાનદાર પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
જામનગરમાં વાલ્મીકી નગર વિસ્તારમાં રહેતા અને વાલ્મિકી વાસના ગેઇટ પાસે નયના પાન નામની દુકાન ચલાવતા મુકેશભાઈ નાનજીભાઈ નામના વેપારીની દુકાનમાં ગઈકાલે કેતન પરમાર અને અજય પરમાર નામના શખ્સો રુા. ૨૦૦ની ખરીદી કરી અને રુા. ૧૦૦ ઉધારમાં માલ લેવા આપવાનું કહયુ હતું.
આથી મુકેશભાઇએ ઉધાર માલ આપવાની ના પાડતાં આરોપી કેતન રામજી પરમાર ઉશ્કેરાયો હતો. જેણે પોતાના અન્ય સાગરીતો અજય જગદીશભાઈ પરમાર, રાહુલ શામજી પરમાર અને વિશાલ શામજી પરમાર સાથે મળીને વેપારી પર પાઇપથી હુમલો કરી દીધો હતો, અને ઢીકાપાટુનો માર મારીને દુકાનનો સામાન બહાર ફેંકી દઇ નુકશાની પહોંચાડી હતી.
સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચારેય આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application