હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના દાસ દર્શાવતા વિવાદ : રાજકોટના વકીલે ફટકારી લીગલ નોટિસ

  • August 31, 2023 01:37 PM 

હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાના મામલે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. રામ ભક્ત હનુમાનજીના વિવાદિત મૂર્તિ પોસ્ટર તેમજ યુ ટ્યુબમાં ભગવાન શંકર તથા માતા પાર્વતીના અપમાનજનક એપિસોડથી હિન્દુ સનાતન ધર્મનું અપમાન તેમજ હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચા સહિતનાને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application