PNB Fraud Case: નીરવ મોદી પર EDની મોટી કાર્યવાહી, 29.75 કરોડની સંપત્તિ કરશે જપ્ત

  • September 11, 2024 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

EDએ ભાગેડુ નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ નીરવની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. PNB ફ્રોડ કેસની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.


EDએ ભાગેડુ નીરવ મોદીની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ નીરવ અને તેના સહયોગીઓની ભારત અને વિદેશમાં 2,596 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ડિસેમ્બર 2019માં મુંબઈની પીએમએલએ કોર્ટે નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો.


નીરવ મોદી બ્રિટનની જેલમાં છે બંધ

ભાગેડુ નીરવ હાલમાં યુકેની જેલમાં બંધ છે અને કથિત બેંક લોન ફ્રોડ કેસના સંબંધમાં ભારતમાં તેની પ્રત્યાર્પણની અરજી હારી ગયુ છે. જેની તપાસ સીબીઆઈ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ED આ કેસના મુખ્ય આરોપી નીરવ અને તેના કાકા મેહુલ ચોક્સી અને અન્ય લોકોની સાથે બેંક અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવા બદલ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application