પ્લેનભાડું ૯ ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા ગ્રાહક કમિશનનો હુકમ

  • August 10, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિઝનેસના કામે મુંબઈ જઈ રહેલા બિલ્ડર સહિત બે વ્યકિતને એરપોર્ટ ઉપર આંખની બીમારીનું કારણ આપીને પ્રવેશવા નહિ દેવા મુસાફરી નહીં કરવા દેવાની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્રારા અંશત: મંજૂર કરી ટિકિટ ભાડું ૯% વ્યાજ સહિત પરત ચૂકવવા હુકમ કર્યેા છે.
આ અંગેની હકીકત મુજબ, કોટડા સાંગાણી ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન સંજયભાઈ બેચરભાઇ બાંભવા અને તેના બિલ્ડર મિત્ર હિતેશભાઈ હરિભાઈ પરમાર બંને બિલ્ડીંગના પ્રોજેકટના કામ અર્થે મુંબઈ જવા ઈન્ડિગો લાઈટની મોબાઇલ એપ મારફતે ટિકિટ બુક કરાવી ઓનલાઇન ચુકવણી કરી હતી. બાદ તારીખ ૪ ૮ ૨૦૨૩ના રોજ રાજકોટથી મુંબઈ જવા માટે એરપોર્ટ ખાતે નિયત સમયે ગયા હતા ત્યાં બોડિગ પાસ પણ કઢાવી લીધા બાદ એરપોર્ટ સિકયુરિટી સ્ટાફે સંજય બાંભવાને આંખમાં સોજો હોવાથી એન્ટ્રી આપેલી ન હતી. બંનેની મુસાફરી અટકાવવામાં આવી હતી. આથી તેઓએ ટિકિટની રકમ, ધંધામાં નુકસાન ફરિયાદનો ખર્ચ મેળવવા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા ઈન્ડિગોના રાજકોટના મેનેજરને નોટિસની બજવણી થવા છતાં તેમજ મુદતો આપવા છતાં અદાલત સમક્ષ હાજર રહેવા જવાબ આપવા કે પુરાવો રજૂ કરવાની તસ્દી લીધી ન હતી, તેથી કેસ ગુણદોષ ઉપર ચલાવાનો હત્પકમ કર્યેા છે. બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્રારા કરવામાં આવેલી લેખિત મૌખિક રજૂઆતો બાદ ગ્રાહક ફોરમ દ્રારા ફરીયાદ આંશિક મંજૂર કરવામાં આવી છે. જેમાં ટિકિટ પેટે ૭૬૧૪ પિયા ૯% ના વ્યાજ સહિત ચૂકવી આપવા તેમજ શારીરિક માનસિક દુ:ખ ત્રાસના વળતર પેટે ૨૦૦૦ અને ફરિયાદનો ખર્ચ ૧૦૦૦ એક માસમાં ચૂકવી આપવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્રારા હત્પકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી વકીલ એમ.આર. માટીયા રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application