સ્વામિહ ફંડ હેઠળ 40 હજાર ઘરોનું બાંધકામ પૂર્ણ કરાશે, મધ્યમ અને ઓછી આવક ધરાવનારાઓને ઘરો પૂરા પડાશે

  • February 01, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાનું ઘર બનાવવા માટે પઝેશનની રાહ જોઈ રહ્યા છે તેવા લોકોને પણ બજેટમાં રાહત આપવામાં આવી છે. નાણાંમંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે, 40 હજાર અટકેલા અને અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાના પહેલાં તબક્કામાં અત્યારસુધીમાં 50 હજાર ઘર પૂર્ણ થઈ ગયા છે અને ઘર ખરીદનારને તેની ચાવી આપવામાં આવશે. આ પ્રોજેક્ટને સરકાર દ્વારા બનાવવામાં આવેલાં સ્વામિહ ફંડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. 


સ્વામિહ ફંડ એક સરકારી પહેલ છે, જેનો હેતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફસાયેલા હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય સહાય આપવાનો છે. ઘણાં એવા પ્રોજેક્ટ છે, જે કાયદાકીય અડચણ, નાણાંકીય સંકટ અથવા અન્ય કારણોથી અધૂરા રહી ગયા છે. આ ફંડ એવા પ્રોજેક્ટને પુનર્જીવિત કરશે અને ઘર ખરીદનારાઓને રાહત પ્રદાન કરશે.


સ્વામિહ ફંડ હેઠળ અટકેલાં હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય મદદ, મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને પોસાય તેવા ઘરો પૂરા પાડવામાં આવશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં તરલતા વધારવામાં આવશે. નિર્માણ ક્ષેત્રમાં રોજગારની તક વધારવામાં આવશે.

બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, જે લોકો વર્ષોથી પોતાનું ઘર ખરીદવાની રાહ જોઈ રહ્યાં હતાં, તેઓને જલ્દી પઝેશન મળી શકશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણમાં વધારો થશે. બજારમાં ફસાયેલા પૈસાને ગતિ મળશે, જેનાથી નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકશે. અર્થવ્યવસ્થામાં વધારો થશે. હાઉસિંગ સેક્ટરમાં સુધારા સાથે જોડાયેલાં ઉદ્યોગો (સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન)ને પણ ફાયદો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application