રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન મામલે કોંગ્રેસના પ્રમુખનું નિવેદન, "17 લાખનું ભ્રષ્ટાચાર તો બહાર આવ્યું, આવા તો અનેક ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે"

  • April 19, 2023 11:13 AM 

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન બાદ હવે કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. સમિતિના વિસર્જન પાછળ યુનિફોર્મ કૌભાંડ કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. યુનિફોર્મ કૌભાંડનો મુદ્દો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના દરબારમાં ગુંજ્યો હતો. જે બાદ  સી.આર પાટીલે એક જ જાટકે રાજીનામાનો નિણર્ય લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ સમગ્ર મામલે આજે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે પોતાનું નિવેદન આપ્યું હતું.

ગઈકાલે મનપાના શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામાં આપવાનો મામલો ગરમાયો છે. રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દોઢ વર્ષ પહેલા પણ 17 લાખ રૂપિયાનું યુનિફોર્મ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે જ શિક્ષણ સમિતિ ઉપર તાત્કાલિક પગલા લેવાની જરૂર હતી. અત્યારે જે રાજીનામાં લેવાયા છે તે તારા અને મારા નીતિથી રાજીનામા લેવાય છે. મહાનગરપાલિકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application