વિધાનસભા ૨૦૨૭ને લઈને કોંગ્રેસે તૈયારી શ કરી છે કોંગ્રેસના કાર્યકરો જનતાના પ્રશ્નો ઉકેલવા સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ સાથે પ્રતિબધ્ધ બનશે ગુજરાત માટેના પ્રસ્તાવની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી ગુજરાતને ડ્રગ્સ માફિયાઓથી મુકત કરાવવા સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકટર અને આઉટસોસિગ પ્રથા બધં કરવામાં આવશે કોંગ્રેસ રાયના ગરીબો આદિવાસી દલિતો પછાત વર્ગેાને સામાજિક અધિકાર માટે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરાવશે.
કોંગ્રેસ અખિલ ભારતીય મહાસમિતિના રાષ્ટ્ર્રીય અધિવેશનની સફળતાપૂર્વક પૂર્ણાહત્પતિ બાદ હવે કોંગ્રેસ રાષ્ટ્ર્રીય નેતૃત્ત્વના લયને સિદ્ધ કરવાની દિશામાં આગળ વધવાની કટિબદ્ધતા જાહેર કરી છે. ખાસ કરીને ત્રણ દશકથી સત્તાથી દૂર રહેલા ગુજરાતમાં સંગઠનની પુર્ન રચનાથી લઇ ૨૦૨૭માં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જનતા વચ્ચે જઇ જનસમસ્યાઓના ઉકેલ માટે સંકલપબદ્ધ થઈ સમર્પણ ભાવથી ભાજપ સરકારની અન્યાયી, શોષણ, ભેદભાવભરી રીતરસમો સામે સંઘર્ષ કરવાનો રોડ મેપ પહેલી વખત નક્કી કરાયો છે. હવે તેના અમલ માટે આગામી સમયમાં અનેક પ્રકારની તૈયારીઓ હાઇકમાન્ડની દેખરેખ હેઠળ શ થશે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને બમણી બેઠકો મળ્યા પછી વિરોધપક્ષના નેતા રાહત્પલ ગાંધીએ હત્પંકાર કર્યેા હતો કે, ભાજપને હવે તેના હોમગ્રાઉન્ડ ગુજરાતમાંથી હરાવીશું. આ હત્પંકારને વાસ્તવિકતામાં પરિવર્તીત કરવા માટે રાષ્ટ્ર્રીય નેતૃત્ત્વએ ગુજરાતમાં ૬૪ વર્ષ બાદ કાર્યકારિણી અને મહાઅધિવેશનનું બે દિવસ માટે આયોજન હતું. કોંગ્રેસે રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય બાબતોને આવરી લેતા બે પ્રસ્તાવો ઉપરાંત પહેલી વખત ગુજરાત કેન્દ્રીત પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યેા હતો.
આ પ્રસ્તાવમાં ૧૯૬૦થી ૧૯૯૦ દરમિયાન કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતને ડેરી, કૃષિ, સિંચાઇ અને પીવાના પાણી, રોજગારી, ઔધોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રે આદિવાસી, દલિત, પછાત વર્ગેા, ગરીબોના કલ્યાણ માટે કેવા પગલાં લેવાયા હતા અને ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં આ તમામ મુદ્દાઓમાં ગુજરાતની કેવી દશા થઇ છે તેનો ઉલ્લેખ કરાયો છે.
પ્રસ્તાવમાં સ્પષ્ટ્ર કરાયું છે કે, કોંગ્રેસ પાર્ટીનો ધ્યેય સત્તા આંચકી લેવાનો નથી, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના વિચારો પ્રમાણે જનતાની સેવા કરવાનો છે.આ માટે ગુજરાતનો પ્રત્યેક કોંગ્રેસ કાર્યકર પ્રતિબદ્ધ બનીને સંકલપ, સમર્પણ અને સંઘર્ષ કરશે અને સરકાર રચાશે એ સાથે જ રાયને ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાંથી સંપૂર્ણ મુકત કરવા સાથે સરકારી નોકરીઓમાંથી આઉટ સોસિગ, કોન્ટ્રાકટ જેવી શોષણયુકત પધ્ધતિઓ હટાવીને યુવાઓને સીધી રોજગારીની તક અપાશે.
આદિવાસીઓને વન અધિકાર કાયદા હેઠળના હક્કો અને અધિકારો અપાશે.
મહાઅધિવેશનમાં રાષ્ટ્ર્રીય નેતા રાહત્પલ ગાંધીએ જાતિ આધારિત વસતિ ગણતરીની માગને બુલદં કરી હતી તેનું પ્રતિબિંબ આ પ્રસ્તાવમાં જોવા મળે છે. કોંગ્રેસે ગુજરાતમાં પણ જાતિ આધારિત વસતિ ગણતરી માટે પ્રતિબદ્ધતા વ્યકત
આદિવાસીઓ, પછાત વર્ગેાને સામાજિક ન્યાયનો અધિકાર અપાશે. પશુપાલકો માટે ખરાબાની જમીનોને નવસાધ્ય કરાશે. ખેતમજૂરોને સાથણીની જમીનો અપાશે. ખેડૂતોને ટેકાના ભાવ માટે કાનૂન બનાવાશે. ગુજરાતમાં પોર્ટ આધારિત પરિવહનને મજબૂત કરવા ઉપરાંત ફાર્મા, કેમિકલ, વક્રો, સિરામિકસ, પેટ્રોકેમ, ઓઇલ એન્જિન વગેરેના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ સાથે ઓટો, કમ્પ્યૂટર, સેમિકન્ડકટર અને અન્ય ટેકનોલોજીકલ ક્ષેત્રે વિકાસ કરવા પગલાં લેશે. એની સાથે એમ એસ એમ ઈ.ને રક્ષણ આપી રોજગારીની તકો પૂરી પાડશે. દરેક જિલ્લ ામાં કૃષિ આધારિત ઉધોગોનો વિકાસ કરશે. શિક્ષણ, પર્યટન, સ્વાસ્થ્ય સુવિધા વધારાશે. મહિલાઓને સલામતી, સમાનતા અને આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech