દેશભરમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આખરે શનિવારે (27 એપ્રિલ) રાત્રે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બીજી બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય મોટા નેતાઓ સામેલ હતા. ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો માટેના ઉમેદવારો નક્કી થયા ન હોવાના અહેવાલ છે.
કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકોના ઉમેદવારોના નામ નક્કી થઈ શક્યા નથી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં અમેઠી અને રાયબરેલીની બેઠકો માટેના ઉમેદવારોના નામ પર વિચાર મંથન કરવામાં આવ્યું હતું, પરંતુ ઉમેદવારોના નામને મંજૂરી મળી શકી ન હતી. બેઠકમાં CEC સભ્યોએ રાહુલ ગાંધીને અમેઠીથી અને પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ચૂંટણી લડવા અનુરોધ કર્યો હતો. જો કે નિર્ણય કોંગ્રેસ પ્રમુખ પર છોડવામાં આવ્યો છે.
અમેઠી-રાયબરેલી બેઠકના ઉમેદવારની જાહેરાત ક્યારે થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીની અમેઠી અને રાયબરેલી લોકસભા સીટો પર એક-બે દિવસમાં જાહેરાત શક્ય છે, પરંતુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસની સીઈસી બેઠકમાં પંજાબની પાંચ બેઠકો પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ ઉમેદવારને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech