શિવરાજપુર બીચ પર દુવિધાની ભરમાર

  • January 09, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા જનતાદળ યુનાઇટેડનાં પ્રમુખે કરી રજુઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પર્યટન સ્થળ શિવરાજપુર બીચ ઉપર ઘણાં સમયથી વિકાસના કામો થઇ રહ્યા છે. આ બીચને બ્લુ ફલેગનું બિ‚દ મળ્યું છે. છતાં પણ આ બીચ ઉપર પૂરતી વ્યવસ્થા નથી.
પ્રવાસીઓ બીચ ઉપર છાંયામાં બેસી શકે તેવી છત્રીઓ (ગજીબો) પુરતી સંખ્યામાં નથી. બીચ ઉપર પીવાના પાણીની સુવિધા નથી, જેથી પ્રવાસીઓને નાછુટકે મોંઘાભાવની પાણીની બોટલો ખરીદવી પડે છે.
પ્રવાસીઓ માટે દરિયા કિનારે સ્નાન કરતા હોય ત્યારે કોઇ દુર્ઘટના કે અકસ્માત થાય તો સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા નથી.
જામનગર જિલ્લા જનતાદળ (યુનાઇટેડ)નાં પ્રમુખ મયુરભાઇ માડમે શિવરાજપુર બીચ ઉપર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application