મોચા ગામે હશીશના ગુન્હામાં સંડોવાયેલા ઇસમના શરતી જામીન મંજૂર થયા છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ માધવપુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટીકસ એન્ડ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ-૮(સી) વગેરે મુજબનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના કામે પોલીસે પકડી પાડેલ આરોપી પૈકી પોરબંદરના મોચા ગામના રહીશ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વલ્લભભાઇ કોઠડીયાની સંડોવણી હોવાનું ખૂલતા પોલીસે આરોપીની ધોરણસર ગુન્હાના કામે અટક કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને કસ્ટડીમાં મોકલી આપેલ ત્યારબાદ આરોપી તરફે જામીન અરજી રજૂ કરવામાં આવેલી, અને સરકાર તરફે આરોપીઓને ન છોડવા બાબતે સોગંધનામુ કોર્ટમાં રજૂ કરી આરોપીને જામીન ઉપર મુકત ન કરવા સરકારપક્ષે કોર્ટમાં દલીલો કરવામાં આવેલી.
ત્યારબાદ બચાવપક્ષે એવી રજૂઆતો કરવામાં આવેલી કે આરોપીને પોલીસે ફકત ખોટી રીતે ગુન્હાના કામે અટક કરવામાં આવેલ હોય, પરંતુ હાલના આરોપીનો ગુન્હામાં કોઇ રોલ જ ન હોય, હાલઆ આરોપીએ કહેવાતો ગુન્હો આચરેલાનું કે કોઇપણ રીતે ગુન્હાના કામે મદદગારી કરેલાનું તપાસના કાગળો જોતાં કયાય જણાય આવતુ ન હોય. અને ખરેખર આ મુદામાલ પોલીસે આરોપી સાથે ડિસ્કવરી દરમ્યાન દરિયા કિનારેથી અવાવ જગ્યાએથી કબ્જે કરેલ હોય, તેથી આ મુદામાલનો કબ્જો આરોપીનો નથી એવું માની શકાય. તે રીતે ખરેખર આરોપી આ કામમાં તદન નિર્દોષ છે. આરોપીએ કહેવાતો કોઇ જ ગુન્હો આચરેલ ન હોય, વળી આરોપી મૂળ પોરબંદર જિલ્લાના મોચા ગામના રહીશ હોય અને મોચા મુકામે જ તેમનો પરિવાર કાયમી વસવાટ કરી રહેલ હોય અને આરોપી મોચા મુકામે સ્થાવર, જંગમ મિલ્કત ધરાવે છે અને તે સંજોગોમાં જામીન મુકત થયેથી આરોપી કયાંય નાસી ભાગી જાય તેમ ન હોય તેમજ આરોપી કોર્ટમાં ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપે છે વગેરે દલીલો બચાવપક્ષે રજૂ કરતા કોર્ટે આરોપીને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ.
આ કામમાં બચાવપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી.જુંગી, પી.બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા, મયુર સવાનીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMપારૂલ યુનિ.ને ગુજરાત સરકાર દ્રારા સેન્ટર ઓફ એકસલન્સમાં દરજજો
April 29, 2025 02:20 PMઅમદાવાદના મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન
April 29, 2025 02:17 PMમોટા મુંજીયાસરની ગ્રામ પંચાયતને તાળાં મારવા સરપંચનો નિર્ણય
April 29, 2025 02:15 PMહળવદ માર્કેટિંગ યાર્ડમાં કરોડોનું ફલેકું ફેરવી પેઢીનું ઉઠમણું...!
April 29, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech