એવું લાગે છે કે નિર્ણય લખવાની ઔપચારિકતા પૂરી કરી રહ્યા છે, જજને વધુ તાલીમની જરૂર

  • September 06, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ્હાબાદ હાઈકોર્ટે મૈનપુરીમાં જુનિયર ડિવિઝન સિવિલ જજ અને ફાસ્ટ ટ્રેક કોર્ટના જિલ્લા ન્યાયાધીશ માટે લેવામાં આવેલા નિર્ણયો પર આશ્ચર્ય વ્યકત કરતા આ સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું કે જજોને વધુ તાલીમની જર છે. વિવાદાસ્પદ પ્રોપર્ટી કેસને લઈને શૈલેન્દ્ર ઉર્ફે શંકર વર્મા દ્રારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી બીજી અપીલ પર સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ ક્ષિતિજ શૈલેન્દ્રએ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી બીજી અપીલ સિવિલ કેસમાં સામેલ મૈનપુરી સિવિલ કોર્ટના નિર્ણયોની સમીક્ષા કરી હતી. હાઈકોર્ટે જુનિયર ડિવિઝન સિવિલ જજ દ્રારા કેસમાં દાખલ કરવામાં આવેલા બચાવને યોગ્ય રીતે કેવી રીતે સમજવું તે અંગેની સમજણનો સ્પષ્ટ્ર અભાવ જોવા મળ્યો હતો.
હાઈકોર્ટે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે બચાવ પક્ષે બે સાક્ષીઓ રજૂ કર્યા જેમની જુબાનીને બિલકુલ ધ્યાનમાં લેવામાં આવી ન હતી, જે ટ્રાયલ પ્રક્રિયામાં સંભવિત ક્ષતિ દર્શાવે છે. અદાલતે અવલોકન કયુ હતું કે સિવિલ કોર્ટના નિર્ણયમાં વાદીના દાવા કે કાઉન્ટરકલેઈમ્સને યોગ્ય રીતે સંબોધવામાં આવ્યા ન હતા, જે તારણો અર્થહીન બનાવે છે. કોર્ટે કહ્યું કે નિર્ણય મુજબ, રજૂ કરાયેલી દલીલોને યોગ્ય ધ્યાન આપ્યા વિના પ્રતિવાદીનો કેસ કાઢી નાખવામાં આવ્યો. મૈનપુરી કોર્ટના મ નંબર ૨ ના જિલ્લા ન્યાયાધીશની કામગીરી પણ એટલી જ આશ્ચર્યજનક હતી, જેઓ કાર્યવાહીને યોગ્ય રીતે સમજવામાં નિષ્ફળ રહ્યા હતા.
હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે એવું લાગે છે કે બંને અદાલતો સિવિલ કોર્ટ તરીકેની તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે. કોઈપણ યોગ્ય કારણ વગર તેઓ માત્ર નિર્ણય લખવાની ઔપચારિકતા પૂરી કરી રહ્યા છે. ઉપરોકત ટિપ્પણી કરતાં હાઇકોર્ટે વધુ સુનાવણી માટે બીજી અપીલ સ્વીકારી છે અને વિરોધીઓને નોટિસ પાઠવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application