પોરબંદર નગરપાલિકાના પચાસ લાખ પિયાના શંકાસ્પદ ખર્ચ અંગે કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે પુરની પરિસ્થિતિ વચ્ચે આશ્રિતોને સરકારી સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓએ ઉપાડી હતી તેમ છતાં નગરપાલિકાએ પચાસ લાખ પિયાનો ખર્ચ દર્શાવ્યો છે ત્યારે ‘આપ’ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર આમ આદમી પાર્ટીના અગ્રણી અને સુધરાઇ સભ્ય જીવનભાઇ જુંગીએ જિલ્લા કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે તા.૨૭-૯-૨૪ના પોરબંદર -છાયા સંયુકત નગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગ યોજાઇ હતી તેમાં ઠરાવ ક્રમ નં.૫માં અતિવૃષ્ટિ કામ અંગે અને વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારના લોકોને આશ્રય આપવા બાબતે ા. પચાસ લાખ ખર્ચ મંજૂર કરવા અંગે આશ્ર્ચર્ય થાય છે. કારણકે પોરબંદરમાં લગભગ ૫૦ જેટલા વિસ્તારના રોડને રીપેરીંગ અંગે જનરલ બોર્ડમાં આવરી લેવા રજૂઆત તા. ૨૫-૯-૨૪ના રોજ અમો અરજદારે કરેલ અને તા. ૨૬-૯-૨૪ના રોજ ઇન્વર્ડ કરાવેલ તેમની નકલ સામેલ છે તેમ છતાં ઉપરોકત જ. બોર્ડ તા. ૨૭-૯-૨૦૨૪ના અમારી રજૂઆત નહી લેતા અને અમો કાઉન્સીલર તરીકે પૃચ્છા કરતા કહેલ કે, ‘આવતી મીટીંગમાં લેશું !’
અગાઉ કલેકટર લાખાણી બ અતિવૃષ્ટિ સમસ્યા દૂર કરવા ૨૪ કલાક પોતે ખુદ રસ્તા ઉપર ઉતરી કાર્યરત હતા અને આશ્રયસ્થાનો, સરકારી સંકુલ, ધાર્મિક વાડીઓ અને જમવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓએ ઉઠાવી લીધેલ હતી. તેમ છતાં ા. ૫૦ લાખ જેવી માતબર પ્રજાની રકમ નગરપાલિકા કઇ રીતે ખર્ચ કરી શકે તે પણ એક પ્રશ્ર્ન છે. તેમ જણાવીને કલેકટરકક્ષાએથી યોગ્ય કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech