જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીકનું ફ્લાય ઓવર બ્રિજ નુ કામ ચાલી રહ્યું છે, જે બ્રિજની નીચે લગાવેલા અંદાજે રૂપિયા બે લાખ ની કિંમત ના હાઈ ટેન્શન સ્ટ્રેન્ડ કેબલની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે, જ્યાં અમદાવાદની ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર હસ્તક સંતોષી માતાજીના મંદિર તરફના બ્રિજ ના સ્લેબના ભાગે હાઈટેન્શન વાયર લગાવેલા હતા, જે પૈકી અંદાજે ૨૫ મીટર લંબાઈના ૭૦ નંગ કેબલ કે જેની કુલ લંબાઈ ૧૮૨૦ મીટર થાય છે, અને તેની અંદાજે કિંમત બે લાખ રૂપિયા થવા જાય છે. જેની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર હર્ષદભાઈ મહેન્દ્રભાઈ પટેલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એચ. એ. પીપળીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનીઓને વીણી વીણીને કાઢી મુકો... અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આદેશ આપ્યો
April 25, 2025 05:03 PMજામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
April 25, 2025 04:54 PMરાતડી અને ઓડદર વિસ્તારમાં ખનીજચોરી અંગે થઇ તપાસ
April 25, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech