દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ: પત્નીને સગીર પુત્ર સાથે તરછોડી દીધી
જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારીની બહેન કે જેને અમરેલીમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી સાથે પરણાવી હતી, જ્યાં તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ દહેજ ના કારણે મારકુટ કરી ત્રાસ ગુજાર્યો હતો, તેમ જ પોલીસ પતિ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખતો હોવાથી પરણિતાને સગીર પુત્ર સાથે હાંકી કાઢતાં જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને પોલીસ કર્મચારી એવા પતિ સહિતના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શરૂશેકસન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર માં રહેતા અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલિસ કર્મચારીની બહેન પૂનમબાના લગ્ન અમરેલીમાં રહેતા અને અમરેલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ દિલુભા ગોહિલ સાથે થયા હતા, જે લગ્ન થકી તેઓને એક પુત્રનો જન્મ થયો હતો.
પ્રારંભમાં સારી રીતે રાખ્યા પછી પૂનમબાને તેણીના પોલીસ પતિ- સાસુ અને બે નણંદ સહિતના સાસરીયાઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજાર્યો હતો, અને દહેજ પેટે પૈસાની માંગણી કરાતી હતી, તેમજ અન્ય ચીજ વસ્તુઓની માંગણી કરવામાં આવી હતી.
જે માંગણી પૂનમબા સંતોષી શક્યા ન હતા, ઉપરાંત-પોલીસ કર્મચારી પતિ ઇન્દ્રજીતસિંહ ગોહિલ કે જે અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતો હોવાથી પૂનમબાને તરછોડી દીધી હતી, અને સગીર સંતાન સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. આથી તેણી જામનગર પોતાના માવતરે આવી ગઈ હતી, અને જામનગરના મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.
જ્યાં પૂનમબાની ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.એલ. ગોહિલ તેમજ સ્ટાફના દિનેશભાઈ તથા સમરતદાન ગઢવી વગેરેએ પૂનમ બાના પતિ પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ ગોહિલ, સાસુ ગુણવંતીબા દિલુભા ગોહિલ તેમજ નણંદ ચેતનાબા કનકસિંહ જાડેજા, તથા દિપાલીબા પરાક્રમસિંહ જાડેજા સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ, તેમજ સ્ત્રી અત્યાચાર ધારા હેઠળની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર અમરેલી અને ભાવનગર સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech