શહેરના કાલાવડ રોડ પર રહેતા અને હાથીખાના વિસ્તારમાં કોમ્પ્યુટર લે વેચ અને રીપેરીંગની દુકાન ધરાવનાર વેપારીએ પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોના–ચાંદીનો શો મ ધરાવનાર તેના મિત્રએ .૧૨ લાખ ઉછીના આપ્યા હતા. બાદમાં આ રકમ પરત ન ચૂકવી અને ઘરના તાળા મારી તે કયાંક જતો રહ્યો હોય વેપારીએ વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.
વિશ્ર્વાસઘાતના આ બનાવ અંગે પરાગભાઈ દીનેશભાઈ સંચાણીયા(ઉ.વ. ૪૩ રહે. એવરેસ્ટ પાર્ક શેરી ન– ૦૮ મેક ડોન્સલ્સ તેમજ જડુસ હોટલ પાસે, કાલાવડ રોડ રાજકોટ) એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રહલાદ પ્લોટ શેરી નં.૪૨ કબુતરા ચોક પાસે રહેતા દિવ્યેશ દીનેશચદ્રં આડેસરાનું નામ આપ્યું છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હત્પં હાથીખાના શ્રી, કોમ્પેલેક્ષમાં દુકાન નં.૪૦૨ મા કોમ્પ્યુટરના પાર્ટ તેમજ કોમ્પ્યુટર કીન તથા લેપટોપ વગેરેનું વેચાણ તેમજ રીપેરીંગનું કામ કાજ ક છું. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આજથી ચાર પાંચ વર્ષ પહેલા મારે મારા મીત્ર ભાસ્કરભાઈ રાણપરા મારફત દીવ્યેશ દીનેશચદ્રં આડેસરા કે જેઓને સોના–ચાંદીનો શો મ છે. તેઓના સાથે મારે સંપર્ક થયો હતો. અને તેઓ અવારનવાર અમારી દુકાને આવતા હતા. અને પોતાના સોના–ચાંદીના શો મ માટે અમારી દુકાનેથી કોમ્પ્યુટરની સ્કીન તેમજ લેપટોપની ખરીદ કરવા આવતા હોય જેથી અમો બન્ને જણઓ વચ્ચે મીત્રતા થયેલ હતી. અને મારે કયારેક પૈસાની જરીયાત હોય તો હત્પં આ દીવ્યેશભાઈ પાસેથી પૈસા ઉછીના લેતો હતો અને તેઓ ને કયારેક પૈસાની જરીયાત હોય જેથી હત્પ પણ તેઓને ઉછીના પૈસા આપતો હતો અને તેઓ મને સમયસર પૈસા પરત આપી દેતા હતા. ગઇ તા. ૦૧૦૮૨૦૨૨ ના રોજ આ દિવ્યેશ આડેસરસ મારી દુકાને આવેલા અને મને જણાવેલ કે હમણા મારે સોના યાદીના ધંધામાં જરીયાત હોય અને ધંધા માટે મારે ૧૨ લાખ પીયાની જરીયાત છે. અને હત્પં તમને એકાદ મહીનામાં તમારા પીયા તમને પરત ચુકવી આપીશ તેમ મને વાત કરતા મેં આ દીવ્યેશભાઈ દીનેશચદ્રં આડેસરાને ગઈ તા. ૦૨૦૮ર૦રર ના રોજ આર ટી જી એસથી . ૧૨ લાખ તેઓના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હતા. અને ત્યાર બાદ છ સાત મહીના પછી મેં આ દીવ્યેશ આડેસરા પાસે મેં આપેલ ૧૨ લાખની માંગણી કરતા તેણે થોડા દીવસમા પીયા આપુ છું તેમ જણાવીને આજદીન સુધી ખોટી ખોટી મુદત આપતા હતા. અને ત્યાર બાદ તેઓના ઘરે જઈ તપાસ કરતા આ દીવ્યેશ પોતે ઘરે તાળા મારીને કયાંક જતો રહ્યો હોવાનું માલુમ પડયું હતું. અને તે કયાય મળેલ નહી જેથી વેપારીએ પોતાની સાથે મિત્રએ .૧૨ લાખની રકમ લઇ વિશ્ર્વાસઘાત કર્યા અંગે આ ફરિયાદ નોંધાવી છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech