જામનગરના મહાદેવનગર ખાતે રહેતા દર્શન ઘેલુભાઇ ભાટીયા (ઉ.વ.૨૧)એ ગઇકાલે સીટી-સીમાં ધાના હમીર ચાવડા, રોહીત ધાના ચાવડા, કેશુર જોગલ રહે. બધા વામ્બે આવાસ આઠમાળીયાની સામે તથા બે અજાણ્યા ઇસમ વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર આરોપીને પૈસા આપવા બાબતે ફરીયાદી તથા ફરીયાદીના કાકા સાથે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી ગત તા. ૨ના રોજ મહાદેવનગરથી યાદવનગર તરફના રોડ પર દર્શનને અપશબ્દો બોલી હાથ, પગ અને વાંસામાં પાઇપ તેમજ ધોકા વડે માર માર્યો હતો અને હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી તેમજ સાહેદ રવજીભાઇને મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
**
ધરારનગરમાં યુવાનની રીક્ષા સળગાવાઇ: બે સામે ફરિયાદ
ધરારનગર વિસ્તારમાં આવાસમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાને પોતાની રીક્ષા સળગાવી નાખવા અંગે બે પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ધરાનગર વિસ્તાર ત્રણમાળીયા આવાસ બ્લોક ૬માં રહેતા અને રીક્ષા ચલાવતા અકબર નથુભાઈ રાજા નામના યુવાને પોતાની રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૮૪૧૯ને જવનશીલ પદાર્થથી સળગાવી નાખવા અંગે પોતાની સાથે આવાસના મકાનમાં રહેતા કુદીયો ઉફેસ્ કુલદીપસિંહ અનોપસિંહ જાડેજા અને એક અજાણ્યા ઇસમ સામે સીટી-સીમાં ફરિયાદ નોંધાવી છે.
રીક્ષા ચાલક યુવાનને તેના જ બિલ્ડીંગમાં રહેતા એક વ્યક્તિ સાથે રીક્ષા પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરીયાદીને અજીતસિંહ સાથે સમાધાન થયેલ હોય બાદમાં તેના ઓળખીતા કુદીયો અને એક અજાણ્યા ઇસમે તેનું મન દુ:ખ રાખીને આરોપીએ આકૃત્ય કર્યું હોવાનું જાહેર થયું છે. રીક્ષામાં આશરે ૧૫ હજારનું નુકશાન પહોચાડીને શખ્સો નાશી છુટયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech