હરીપર નજીક વકીલ પર હુમલો કર્યાની બે શખ્સ સામે ફરીયાદ

  • March 28, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીન બાબતે કોર્ટમાં દાખલ કરેલ દાવાનો ખાર રાખી ધમકી દીધી


લાલપુર તાલુકાના હરીપર વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા વકિલ પર ધોકાથી હુમલો કરી ધમકી દેવાના પ્રકરણમાં હરીપર ગામના બે શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.


મુળ લાલપુર તાલુકાના હરીપર ગામના વતની હાલ રાજકોટ 150 ફુટ રીંગ રોડ, નવા મુંજકા ખાતે રહેતા વકીલ અનિલ રવજીભાઇ પણસારા (ઉ.વ.31) એ ગઇકાલે લાલપુર પોલીસમાં હરીપર ગામના મહિપતસિંહ કલુભા જાડેજા અને નારદ કેશવજી સંઘાણી નામના બે શખ્સો સામે આઇપીસી કલમ 323, 506(2), 114, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદીએ જમીન બાબતે કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય તેનો ખાર રાખીને આરોપીઓએ વકીલને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application