એએચટીયુની ટુકડીના ચેકીંગમાં વિગતો ખુલી : બાળકને મુકત કરાવી વાલીને સોપાયો
જામનગરના ખંભાળીયા નાકા બહાર પાનની દુકાનમાં એક સગીર પાસે બાળમજુરી કરાવવામાં આવી રહી છે એવી હકીકતના આધારે એએચટીયુની ટુકડીએ ચેકીંગ કરી બાળકને કામમાંથી મુકત કરાવી વાલીને સોપ્યો હતો અને દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એએચટીયુ પીઆઇ એચ.વી. રાઠોડે જામનગર શહેરમાં સગીરવયના બાળકો પાસે બાળમજુરી કરાવી તેઓનું શારીરીક તેમજ આર્થીક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન જામનગરના ખંભાળીયા નાકા બહાર અંબીકા ડેરી સામે મોર્ડન પાન નામની દુકાનમાં ચેકીંગ હાથ ધરતા દુકાનમાં સગીર બાળક પાન ફાકી બનાવતા મળી આવતા તેને તેના વાલીને સુપ્રત કરી કામમાંથી મુકતી આપવી દુકાનના સંચાલક વિમલ રામચંદ્ર મોતીયાણી રહે. દિ.પ્લોટ 65-66, જોલી બંગલા પાછળ જામનગરવાળા વિરુઘ્ધ જુવેનાઇનલ જસ્ટીસ એકટ 2015ની કલમ 79 મુજબ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech