જામ શખપુરમાં વિજશોકથી શ્રમીકના મૃત્યુમાં વાડીમાલીક સામે ફરીયાદ

  • March 19, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડીની ફરતે ઇલેકટ્રીક વાયર ગોઠવી બેદરકારી દાખવી : થોડા મહીના પહેલા પરપ્રાંતીય શ્રમિક પાણી વાળવા જતા ભોગ બન્ય

જામજોધપુર તાલુકાના જામ શખપુર સીમમાં પરપ્રાંતીય યુવાન કપાસના પાકમાં પાણી વાળવા જતા શેઢા પર રાખેલ ઇલે. વાયરમાંથી શોક લાગતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. દરમ્યાનમાં વાડીની ફરતે વાયર ગોઠવી બેદરકારી દાખવનાર વાડી માલીક સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસ હાથ ધરી છે.
મુળ એમપીના અલીરાજપુર જીલ્લાના ખંડેલા ગામના વતની અને હાલ જામજોધપુરના જામશખપુર સીમ વિસ્તારમાં રહેતી મીનાબેન છગનભાઇ દેવડા (ઉ.વ.૨૮) નામની શ્રમીક મહિલાએ ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં શખપુર ખારા સીમ વિસ્તારમાં રહેતા વાડી માલીક ખીમા જગા રાડાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૪, ૨૦૧ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર આરોપીએ પોતાની જામ શખપુર ગામે વાડીની ફરતે કોઇની જીંદગી જોખમાય, મોત નિપજે એવુ જાણતા હોવા છતા વાડીની ફરતે વાયર ગોઠવી ઇલેકટ્રીક પ્રવાહ ચાલુ રાખ્યો હતો.
દરમ્યાન ગત તા. ૫-૯-૨૩ના સમયગાળામાં ફરીયાદીના પતિ છગનભાઇ દેવડા કપાસના પાકમાં પાણી વાળવા  જતા વાડીની બાજુમાં શેઢા પર રાખેલ વાયરને અડકી જતા ઇલેકટ્રીક શોક લાગવાથી તેમનું મૃત્યુ થયુ હતું. તેમજ મૃતદેહને બાજુમાં આવેલ સરકારી ખરાબામાં બાવળની ઝાડીમાં નાખી આરોપીઓએ ગુનો કર્યો હતો. આ બનાવના કારણે વાડી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ફરીયાદ વાડીમાલીક ખીમા રાડા સામે નોંધાઇ છે તેમજ આ બનાવમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ દીશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે આગળની કાર્યવાહી જામજોધપુર પીઆઇ વાય.જે. વાઘેલાએ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application