ધારાસભ્યનું સરાહનીય કાર્ય

  • May 31, 2024 10:29 AM 

હેમંત ખવા દ્વારા કેન્દ્રમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઘરે જઇને સન્માનીત કયર્િ



જીવનમાં મળેલ ભણતર અને જ્ઞાનમાં કોઇ ભાગ પડવી શકતું નથી, દરેક વ્યક્તિને મળેલ ભણતર અને જ્ઞાન જીવનભર તેને વ્યક્તિગત તેમજ સમાજને ઉપયોગી નીવડતું હોય છે.



વિદ્યાર્થીઓને હંમેશા પ્રોત્સાહીત કરતા માર્ગદર્શન આપતા શિક્ષણપ્રેમી ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ તાજેતરમાં જામજોધપુર-લાલપુર મત વિસ્તારના કેન્દ્રમાં નંબર લાવનારના બોર્ડના વિદ્યાર્થીઓને ઘરે જઇને પ્રોત્સાહીત કરીને શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ વિદ્યાર્થીઓના વાલીઓને પણ સંતાનોને ભણાવીને ઉચ્ચ ગુણાંક લાવવા માટે શુભેચ્છા પાઠવી હતી.



થોડા દિવસો પહેલા ધોરણ-12 નું પરિણામ આવ્યું હતું જેમાં જામજોધપુર તાલુકામાં વિજ્ઞાન પ્રવાહ માં મિતરાજસિંહ સંદીપસિંહ જાડેજાએ 92.16% સાથે સમગ્ર જામજોધપુર કેન્દ્રમાં પ્રથમ ક્રર્માંક પ્રાપ્ત કર્યો. ઉદેપુર ગામના ખેડૂતપુત્ર અજય દેવશીભાઈ ગોજીયાએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 95.14% સાથે જામજોધપુર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો તથા લાલપુરના ગરીબ ઘરના રોહિત ખુશાલદાસ પરમારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 92% સાથે સમગ્ર લાલપુર કેન્દ્રમાં પ્રથમ ક્રમોક પ્રાપ્ત કર્યો.



અલગ અલગ પ્રવાહમાં પ્રથમ ક્રમોક પ્રાપ્ત કરનાર ત્રણેય તેજસ્વી તારલાઓનું તેમના ઘરે જઈને સન્માન કરનાર ધારાસભ્ય હેમંત ખવાની અનોખી પહેલને લોકોએ બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના છે. લાલપુરના વતની રોહિત પરમારે વગર ટ્યુશને સરકારી શાળામાં ભણીને આ સિદ્ધિ હાંસલ કરી છે. રોહિતના પિતા ખુશાલદાસ પરમાર સરકારી કચેરીમાં કરાર આધારિત નોકરી કરે છે. તેમનો પગાર 11000 પિયા જ છે ત્યારે પેટે પાટા બાંધીને દીકરાને ભણાવતા આવા બાપને સો સો સલામ.



ઉદેપુર ગામના ખેડૂતપુત્ર અજય ગોજીયા પણ સામાન્ય ઘરમાંથી આવે છે. ખેતી કરતા કરતા પોતાના સંતાનોને ભણાવીને આ કક્ષાએ પહોંચાડવા ખુબ જ અઘરું છે પરંતુ અજયના પિતા દેવશીભાઈએ આ વાતને સહેલી બનાવી દીધી. વાત કરીએ મિતરાજની તો જામજોધપુર જેવા નાના કેન્દ્રમાં કે જ્યાં પૂરતા પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહના કોચિંગ ક્લાસો પણ નથી ત્યાં ભણીને વિજ્ઞાન પ્રવાહમાં 92.16% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. મિતરાજના પિતા સંદીપસિંહ ના જણાવ્યા મુજબ મિતરાજ શાળાએથી આવ્યા બાદ પોતાના રૂમમાં વાંચવા લાગી જતો. ક્યારેય મિત્રો સાથે શેરીઓમાં ના દેખાતા મિતરાજે સાબિત કરી દીધું કે ‘મન હોય તો માળવે જવાય’.


આમ હેમંત ખવાની આ અનોખી પહેલથી ત્રણેય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું તેમજ લોકોએ પણ તેમના આ કાર્યને બિરદાવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application