રાજકોટ શહેર–જિલ્લામાં આચારસંહિતા અમલ માટે ચૂંટણી તંત્ર દ્રારા ૮૦ કમિટીની રચના

  • March 18, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લ ા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ તકે જિલ્લ ા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે તાલીમ સાથે ફલાઈંગ સ્કવોડની ૨૪, સ્ટેટીક સર્વેલન્સની ૨૪, વીડિયો સર્વેલન્સની ૧૬, વિડિયો વ્યુઈંગની ૮ અને આદર્શ આચારસંહિતાના અમલ માટે ૮ ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોડિગ્સ, ઝંડી, પોસ્ટર, ભીત, લખાણો અને કટઆઉટ દૂર કરવાની કામગીરી શ થઈ ચૂકી છે.

જિલ્લ ામાં તા.૧૬–૦૩–૨૦૨૪ની મતદાર યાદી મુજબની સ્થિતિએ ૮ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૨૩,૪૨,૭૮૫ મતદારો નોંધાયેલા છે જેમાં પુષ મતદારો ૧૨,૧૩,૮૨૦, ક્રી મતદારો ૧૧,૨૮,૯૧૯ તથા થર્ડ જેન્ડર મતદારો ૪૬ છે. યારે ૧૦ – રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ્ર સાત વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૨૧,૦૪,૫૧૯ મતદાર નોંધાયેલા છે, જેમાં પુષ મતદારો ૧૦,૮૯,૫૪૬, ક્રી મતદારો ૧૦,૧૪,૯૩૮ તથા થર્ડ જેન્ડર મતદારો ૩૫ છે.

તદુપરાંત ખાસ કેટેગરી મતદાન મથકોમાં મહિલા સંચાલિત ૫૬, દિવ્યાંગ સંચાલિત ૮, યુવા સંચાલિત ૧ અને મોડલ પોલિંગ સ્ટેશનમાં ૮ મતદાન મથક રહેશે. કુલ મતદાન મથકોના ૫૦% લેખે ૧૧૧૮ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન કરીને ઉત્સાહપૂર્વક જોડાવાની અપીલ કરતા જિલ્લ ા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીએ ઉમેયુ હતું કે, મતદાનનો અધિકાર પવિત્ર અધિકાર છે ત્યારે લોકશાહીને મજબૂત કરવા દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. તેમજ મતદાન જાગૃતિ માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
૧૨૦૪૨૪ના રોજ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લ ી તા.૧૯૦૪૨૪ના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦૦૪૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લ ી તા.૨૨૦૪૨૪ છે. તેમજ મતદાનની તા.૦૭૦૫૨૪ અને મતદાનની મત ગણતરી તા.૦૪૦૬૨૪ના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ તા.૦૬૦૬૨૪ રહેશે.આ તકે જિલ્લ ા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી, ડી.સી.પી. સજજન સિંહ પરમાર, ડી.સી.પી. ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ચૂંટણી મામલતદાર મહેશ દવે સહિત મીડિયાના ઉપસ્થિત રહ્યા હતા

ટોલ ફ્રી નંબર અને વેબસાઇટ પર ફરિયાદ કરી શકાશે: મુછાર
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારે કહ્યું હતું કે, ખર્ચને લગતી ટેલીફોનિક ફરિયાદ માટે જિલ્લ ા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦–૨૩૩–૦૩૨૨ ઉપર નાગરિક ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત .ભદશલશહ.યભશ.લજ્ઞદ.શક્ષમાં પણ ફરિયાદ કરી શકાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application