હાથ મેળવવાની ઔપચારીકતા પડતી મુકી દેવેનભાઈને દિલથી ભેટ્યા કમીશ્નર ઉપાધ્યાય

  • August 09, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યેલ કમીશ્નર ઉપાધ્યાયના વિદાય સમારંભમાં ભાવનગરની અનેક સામાજીક સંસ્થાઓ, એસોસિએશન વિગેરે જોડાયા હતા. કમિશ્નર તેના સરળ, નિખાલસ અને આનંદી સ્વભાવ તથા કામ માટેની પુરી નિષ્ઠાને કારણે સમગ્ર ભાવનગરની પ્રજા માટે લોક-લાડીલા બની ગયા હતા. 


આ તબબકે ગ્રીનસીટીના  દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતુ કે ભાવનગરને આજસુધીમાં આવા કર્તવ્યનિષ્ઠ કમિશ્નર મળ્યા નથી તે કમિશ્નર હોવા છતાં લોકોના દોસ્ત બનીને રહ્યા હતા. દેવેનભાઈએ જણાવ્યું હતું કે કમિશ્નરનો નિખાલસ સ્વભાવ મને સ્પર્શી ગયો હતો. તેઓ પર્યાવરણપ્રેમી હોવાની સાથોોસથ મહાદેવ ભક્ત પણ છે. આથી મને તેમના માટે ખૂબજ આદરભાવ છે. અને તેઓ ભાવનગર છોડી રહ્યા છે તેનું મને ખૂબ જ દુ:ખ છે. પરંતુ ભાવનગર સમગ્ર પ્રજાનો પ્રેમ તેમને ફરી એકવાર ભાવનગર પાછા જરૂર લાવશે તેવી મને પુરી શ્રધ્ધા છે. કમિશ્નરની સાથે ઘનિષ્ઠ દોસ્તી હોવાના નાતે બંને એકબીજાને ભેટી પડયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application