ખંભાળિયાના ભાજપના હોદ્દેદારો-કાર્યકરોની જુનાગઢમાં પ્રસંશનીય સેવા

  • July 24, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં શનિવારે જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ વચ્ચે વિકટ દ્રશ્યો સર્જાયા હતા. રસ્તાઓ તેમજ સર્વત્ર જાણે પાણીના ગાંડા પ્રવાહ સાથે નદી વહેતી હોય તેવી પરિસ્થિતિમાં અનેક લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આ વિકટ પરિસ્થિતિમાં જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ ભરવાડ, કનકસિંહ જાડેજા વિગેરે પણ સાથે જોડાયા હતા અને સેવારત બની, ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા બાળકો, વૃદ્ધો સહિતના લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application