સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો સામાન્ય વધઘટ સાથે જોવા મળે છે. પરંતુ ઠાર અને પૂર્વ દિશામાંથી ફંકાઈ રહેલા પવનના કારણે ઠંડીની તીવ્રતા યથાવત રહી છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન માત્ર ૪.૯ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં એક ડિગ્રીનો વધારો થયો હોવા છતાં આજનું લઘુતમ તાપમાન ૭.૫ ડિગ્રી રહેવા પામ્યું છે. અમરેલી અને રાજકોટમાં આજે ફરી વખત લઘુતમ તાપમાન સિંગલ ડીજીટમાં આવી ગયું છે. હવામાન ખાતાએ આજે કચ્છમાં કોલ્ડ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કયુ છે.
અમરેલીમાં ગઈકાલે ૧૧.૬ અને આજે ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે ૧૦.૮ અને આજે ૯.૩ ડીગ્રી લઘુતમ તાપમાન છે. જુનાગઢ શહેરમાં ૯.૯ અને ભવનાથ તળેટીમાં ૭.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ભાવનગરમાં આજે પણ ગઈકાલ જેટલું જ ૧૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૨.૮ અને આજે ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. એક ડિગ્રીના ઘટાડા સાથે ઓખામાં આજે ૧૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળનું લઘુતમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદમાં આજે ૧૪.૮ ડીસામાં ૧૨.૮ ગાંધીનગરમાં ૧૨ વડોદરામાં ૧૨.૮ અને સુરતમાં ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. સુરત સિવાય અમદાવાદ ડીસા ગાંધીનગર બરોડામાં લઘુતમ તાપમાન ઐંચકાયું છે.
સમગ્ર રાયમાં ગઈકાલે સૌથી ઐંચું મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૧ ડિગ્રી નોંધાયું હતું. સુરત વેરાવળ અમરેલી અને વડોદરામાં પણ મહત્તમ તાપમાન નો પારો ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થાય છે પરંતુ હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવું લાગે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને તેની અસરના ભાગપે બે ત્રણ દિવસ પછી ઠંડીનું જોર વધે તેવું લાગે છે. અત્યારે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખડં પંજાબ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ માં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે કચ્છમાં પણ કોલ્ડ વેવ માટે ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech