તળાજામાં સતત બીજા દિવસે મેઘમહેર :અર્ધો ઇંચથી વધુ વરસાદ

  • September 05, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હતી ત્યારે તળાજામાં  સતત બીજા દિવસે મેઘમહેર થતાં અર્ધો ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરાળામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.  ભાવનગર, વલભીપુર અને ઘોઘામાં ઝાપટા પડ્યા હતા.
તળાજામાં બુધવારે સવારે વાદળ છાયા વાતાવરણની વચ્ચે થોડા  થોડા સમયે સૂર્યનારાયણનો પ્રકાશ રહયા બાદ ફરી વરસાદનો સિલસિલો શરૂ થયો હતો. બપોર - બાદ કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થતા વારંવાર ધોધમાર વરસાદથી સતત બીજા દિવસે મેઘમહેર થતાં અર્ધો ઇંચથી વધુ પાણી પડી ગયું અને ત્યારબાદ મોડી સાંજ સુધી ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો.  તળાજામાં આ વરસાદથી સિઝનનો કુલ વરસાદ ૫૩૧ મી.મી. એટલ કે ૨૧ ઈંચથી વધુ થયો છે. 
ભાવનગર શહેરમાં પણ ગઈ કાલની જેમ આજે બપોરના સમયે એક જોરદાર ઝાપટું વરસી ગયુ હતુ. શહેરમાં ૩ મી.મી. વરસાદ નોંધાતા આ ચોમાસામાં કુલ વરસાદ ૫૨૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ થયો છે.  વલભીપુરમાં ૨ મી.મી. અને ઘોઘામાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.  ભાવનગર જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application